SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] સંસારીનાં બહાનાં ગુરૂની ચાલુ સમજાવટ. ૧૩૩ જ્ઞાનરૂપ કાર્યને ઉપચાર કર્યો છે એમ સમજવું. એને આશય એમ સમજવો કે વાસ્તવિક રીતે તો સમ્યધ-જ્ઞાન એ આ પ્રાણુને પથ્ય છે તેને બદલે તે જ્ઞાનને પ્રગટ કરવાનું કારણુ ગુરુ મહારાજને ઉપદેશ છે તેમાં અહીં પથ્યપણને ઉપચાર કરવામાં આવ્યો છે. ગુરુ મહારાજનાં આવાં વચન સાંભળીને આ પ્રાણુ આઠ ઉત્તર આપવાની સંકળના કરીને બોલ્યો “મહારાજ ! મને વિચિત્ર બિલકુલ ફુરસદ મળતી નથી (૧); ભગવાનની સમીપે ઉત્તર. આવવામાં મારું કાંઈ વળતું નથી એટલે મને કઈ પ્રકારનો લાભ થતો નથી (૨); કામ ધંધા વગરના પ્રાણીઓ ધર્મની ચિંતા કરે છે એટલે નવરા હોય તેને એક જાતનું એ કામ મળે છે (૩); મારા જેવા જો આમ જ્યાં ત્યાં રખડ્યા કરે તો બાઈડી છોકરાં ભૂખ્યાં મરે (૪); મારે ઘરનાં ઘણું કામ છે તે બધાં કર્યા વગરનાં રહી જાય (૫); વેપાર બંધ કરવો પડે (૬); રાજસેવા થઈ શકે નહિ (૭); ખેતીવાડીનું કામ ચઢી જાય એટલે કરવું બાકીમાં રહે (૮).” આ હકીકતને પેલે દ્રમક માથું ધુણુવ્યા કરતો હતો તેની સાથે સરખાવવી. તે નિપુણ્યકનાં આવાં વચન સાંભળી કરૂણું હૃદયવાળા ગુરુ મહારાજ પોતાના મનમાં વિચાર કરે છે કે આ બાપડા પ્રાણીએ શુભ કર્મ-પુણ્ય વિશેષ કરેલ નહિ હોવાથી તે જરૂર દુર્ગતિમાં ચાલ્યો જશે, માટે મારે કોઈ પણ રીતે ઉપેક્ષા કરીને તેના તરફ બેદરકારી બતાવવી ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને પછી ગુરુ મહારાજ તેને કહે છે “ભાઈ ! તું કહે છે તેમજ હશે એટલે તને ધર્મ કરવાનો અવકાશ નહિ મળતો હોય એ વિગેરે તે ઉપર વાત કહી તે પ્રમાણેજ હશે તો પણ મારી ખાતર-મારા આગ્રહથી હું કહું તેટલું તું કબૂલ રાખ. તારે રાત અને દિવસમાં થઈને એક વખત ઉપાશ્રયે આવીને સાધુનાં દર્શન કરી જવાં. માત્ર વીશ કલાકમાં વ્યવહારથી તારી સગવડે તને અનુકૂળ આવે તે વખતે એક ધર્મસેવન. વખત સાધુ પાસે આવી જઈ ચાલ્યા જવું એ નિ ર્ણય કર અને એ માટે તું અભિગ્રહ લે. એ ઉપરાંત વિશેષ નિયમ કાંઈ પણ લેવાનું હું તને કહેતો નથી” તે વખતે આવી ભરાણું તેનો ઉપાય શું? એટલે માર્ગમાં મહારાજ મળી ગયા એટલે તેમની કહેલી આટલી સામાન્ય વાત ન કરીએ તો ઠીક ન લાગે તેથી મને ન હોવા છતાં પણ ગુરુ મહારાજના અનુરોધથી જીવે એટલો નિયમ ગ્રહણ કર્યો. ગુરુ મહારાજનું આ એક વચન અંગીકાર કર્યું તે દ્રમકની આંખમાં અંજન પડવા તુલ્ય સમજવું. ત્યારપછી પેલે દ્રમક દરરોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy