SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ચેાજવી: પહેલાં તા આ જીવ ભદ્રભાવ ધારણ કરે છે, જિનેંદ્ર ભગવાનના ધર્મમાં રૂચિ બતાવે છે, અર્હત્ પરમાત્માની પ્રતિમાની પૂજા કરે છે, સાધુલાકની સેવા કરે છે, ધર્મનું વસ્તુસ્વરૂપ જાણવાની જિજ્ઞાસા બતાવે છે, દાન શીલ તપ ભાવમાં પ્રવૃત્તિ કરે છે, અને ધર્મગુરુના દિલમાં પોતાને માટે પાત્રબુદ્ધિ ઉત્પન્ન કરે છે; પરંતુ ત્યારપછી અશુભ કર્મના ઉદયથી વિસ્તારવાળી ધર્મદેશના સાંભળવાના પ્રસંગને અથવા બીજા કોઇ નિમિત્તને પામીને ઉપર જણાવેલાં સુંદર પરિણામેથી ભ્રષ્ટ થાય છે એટલે તે દેવમંદિરે જતા નથી, સાધુના ઉપાશ્રયમાં પ્રવેશ પણ કરતા નથી, સાધુઓને જુએ તેપણ તેઓને વંદના સરખી પણ કરતા નથી, સ્વધર્મી અંધુઓને આમંત્રણ પણ કરતા નથી, પેાતાને ઘરે દાન આપવાની પ્રવૃત્તિ હાય છે તે પણ બંધ કરી દે છે, ધર્મગુરુને દૂરથી દેખીને નાસવા લાગે છે, તેઓની પુંઠે તેઓની નિંદા કરે છે-આવી રીતે આ પ્રાણીની વિવેકરૂપ ચેતના નાશ પામી ગયેલી જોઇ ગુરુ મહારાજ પોતાની બુદ્ધિશલાકામાં આ પ્રાણીને પ્રતિòાધ કરવાના ઉપાયરૂપ અંજન લે છે ( એટલે પેાતાની બુદ્ધિવડે તેને પ્રતિબાધ કરવાના ઉપાય ચિંતવે છે) અને તે માટે જાદી જુદી તકે હાથ ધરે છે. કોઇ વખત ગુરુ મહારાજ બહાર ગયા હાય અને ત્યાં માર્ગમાં આ પ્રાણી સાથે મેળાપ થઇ જાય તે તે તેની સાથે પ્રિય ભાષણ કરે છે, તેની ઉપર પેાતાની હિતબુદ્ધિ છે એમ બતાવે છે, પેાતાનેા સરળ ભાવ તેની પાસે વ્યક્ત કરે છે, પાતે તેને કોઇ પણ પ્રકારે ઢગવાના ઇરાદા રાખતા નથી એવી ખાતરી આપે છે અને અમુક વ્યક્તિને ( પેાતાને ) અંગે તેનામાં કાંઇક સાર ભાવ ઉત્પન્ન થયા છે એમ જોઇને તેઓ કહે છે કે “ ભાઇ ! સાધુ મહારાજના ઉપાશ્રયે તું કેમ આવતા નથી ? તારા આત્માનું કલ્યાણુ કેમ કરતા નથી? આ મનુષ્યનેા ભવ કેમ તદ્દન નકામા કરી નાખે છે? શુભ અને અશુભના તફાવતને તું કેમ જાણતા નથી ? તું પશુભાવના કેમ અનુભવ કરે છે ? અમે તને વારંવાર જણાવીએ છીએ કે આ ( ઉપદેશ ) તારૂં ખરેખરૂં હિત કરનારો છે એ વાત પર તારે વિચાર કરવા તૈઇએ. ’ આ સર્વ હકીકત સળી ( શલાકા ) ઉપર અંજન સ્થાપન કરવા તુલ્ય સમજવી. અહીં ઉપદેશરૂપ કારણમાં સમ્યગ્ ૧૩૨ અનધિકારીને ઉપદેશ. ૧ વધારે પડતી ધર્મદેરાના સાંભળે એટલે તેનાં પરિણામ ભગ્ન થઇ જાય છે. અધિકાર વગર આપેલા ઉપદેશનું આવું પરિણામ આવવું સંભવિત છે. ખાળને બાળ યેાગ્ય દેરાના અપાય, વધારે પડતી આપે તેા ઉલટું તેને વિપરીત પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy