SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ], ઔષધે કૃપાપૂર્વક ઉપગ. ૧૩૧ ચારિત્ર તે પરમાત્ર સમજવું. સારાં અનુષ્ઠાન, ધર્મ, સામાયિક, વ્રત વિગેરે એના સમાનઅર્થવાચી પર્યાય છે. ભોજનની મોક્ષ પ્રાપ્ત કરવાનું તે પ્રબળ કારણ હોવાથી અને યોજના. મોક્ષપ્રાપ્તિમાં પ્રાણીનું વધારેમાં વધારે કલ્યાણ રહેલું હોવાથી તેનું નામ મહાકલ્યાણક કહેવાય છે. રાગ વિગેરે મહા આકરા વ્યાધિઓને એ પરમાન્ન મૂળથી નાશ કરે છે. એ પરમાત્ત (ક્ષીરજન) વર્ણ, પુષ્ટિ, ધ્રુતિ (ધીરજ ), બળ, મનની પ્રસન્નતા, શક્તિ, યુવાવસ્થાનું ચાલુ રહેવાપણું અને પરાક્રમ-એના જેવા આત્માના ગુણોને પ્રગટ કરે છે. પ્રાણીમાં એ પ્રમાણે વર્તતું સચારિત્ર ધૈર્યનું ઉત્પત્તિસ્થાન, ઉદારતાનું કારણ, ગંભીરતાની ખાણ, પ્રશમ ભાવનું શરીર, વૈરાગ્યનું સ્વરૂપ, આંતર વીર્યની ફુરણાનું મોટું કારણ, કંકાસ રહિત સ્થિતિનું આશ્રમ, ચિત્તની શાંતિનું મુખ્યસ્થાન અને દયા વિગેરે ગુણોનું ઉત્પત્તિસ્થાન છે. વળી તે પરમાત્ર (ચારિત્ર) અનંત જ્ઞાન દર્શન નીચે અને આનંદથી પરિપૂર્ણ, અક્ષય, અવ્યય અને અવ્યાબાધ સ્થાનને આ પ્રાણી માટે મેળવી આપે છે, અને તેથી આ પ્રાણુને માટે અજરામરપણું પણ તેજ ઉત્પન્ન કરે છે, તેટલા માટે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પ્રયોગ આ બિચારા કર્મરેગથી હણાયેલા પ્રાણુ ઉપર કરી તેને રોગમુક્ત કરું. આ પ્રમાણે સદ્ધર્મગુરુ પિતાના મનમાં આ પ્રાણી માટે વિચાર કરે છે. આંજણને અદ્ભુત પ્રયોગ, ત્યારપછી પિલા નિપુણકના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે પછી તે મંત્રીશ્વરે શલાકા (સળી) આણીને અંજન ઉપર મૂકી, તેમાં જરા અંજન લીધું અને પેલે દ્રમક તો માથું ધૂણુવતો રહ્યો છતાં રાવરીથી તેની આંખમાં તે આંજી દીધું. તે અંજન અત્યંત આનંદને ઉત્પન્ન કરે તેવું હોવાથી, બહુ ઠંડું હોવાથી અને ન સમજી શકાય તેવા અનેક ગુણવાળું હોવાથી પેલા ભિખારીને જેવું તે આંક્યું કે તેની ચેતના-સમજશક્તિ ચાલી ગઈ હતી અને તેથી તે જડભરત જેવો થઈ ગયો હતો તે ચેતના પાછી આવવા માંડી. પરિણામ એ થયું કે થોડી વારમાં તેણે આંખ ઉઘાડી, તેના વ્યાધિઓ જાણે નાશ પામી ગયા હોય તેવા થઈ ગયા અને તેના મનમાં પણ જરા આનંદ થયો. તેને પોતાને પણ એમ થવા માંડ્યું કે આ તે શું થઈ ગયું?” આ પ્રમાણે જે વાર્તા કરી હતી તે આ પ્રાણુના સંબંધમાં આવી રીતે ૧ જુઓ અગાઉ પૃષ્ઠ ૨૫ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy