SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ તેની યોજના આ પ્રમાણે કરવીઃ આ જીવની અરોગને ત્યાર સુધીની સર્વ પ્રવૃત્તિઓ જોઈને ધર્માચાર્યના ઉપાય. મનમાં જ્યારે નિર્ણય થાય છે કે આ જીવ ભવ્ય છે, માત્ર આકરાં કમથી હેરાન થયેલો હોવાને લીધે તેનું મન વ્યાકુળ રહે છે અને તેથી તે ખરા રસ્તાને ચૂકી ગયેલ છે, ત્યારે તેઓનો એવો અભિપ્રાય થાય છે કે આ બાપડાનો રોગરૂપ કર્મસમૂહથી કેવી રીતે છુટકારે થાય? આ બાબતનું તાત્પર્ય શોધતાં શોધતાં અને લંબાણ વિચાર કરતાં કરતાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણ ઔષધે આ પ્રાણીને રોગથી મૂકાવવાના ઉપાય છે અને એ સિવાય બીજે કોઈ ઉપાય ધ્યાનમાં આવતો નથી કે જેથી એ કર્મોગની પીડાથી મુક્તિ પામે એ પ્રમાણે તેઓશ્રીને જણાય છે. અહીં જ્ઞાન તે અંજન સમજવું. એ સર્વ વસ્તુઓને સ્પષ્ટપણે બતાવતું હોવાથી તેનું નામ વિમળલોક કહેવાય છે. અંજનની આંખની અંદર થતા વ્યાધિઓના સમૂહરૂપ અજ્ઞાનનો યોજના. નાશ જ્ઞાન જ કરે છે, તેમજ થઈ ગયેલા, થનારા અને થતા સર્વ સ્વભાવને પ્રગટ કરનાર વિવેચક્ષુને તે સંપાદન કરી આપે છે. દર્શન તે તીર્થજળ સમજવું. જીવ અજીવ વિગેરે પદાર્થોમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું તે હેતુભૂત હોવાથી તેનું નામ તીર્થજળ તત્ત્વપ્રીતિકર આપવામાં આવ્યું છે. આ દર્શનને ની યોજના. જ્યારે ઉદય થાય છે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ ઓછી થઈ એક કડાકડિ સાગરોપમમાં પણ કાંઈ ઓછી બાકી રહે છે અને તે વખતે દર્શન (દેખવું-તત્ત્વશ્રદ્ધાન) પ્રાપ્ત થઈને એ કર્મસ્થિતિમાં ધીમે ધીમે ઘટાડો કરતું જાય છે. કર્મોને અહીં રોગનું રૂપક આપ્યું છે તેથી સર્વ રોગોને ઘટાડવાનું એ દર્શન કારણ થઈ પડે છે. વળી દષ્ટિને નિમૅળ કરનાર જ્ઞાનમાં પણ યથાવસ્થિત અર્થે ગ્રહણ કરવાની ચતુરાઈ આ દર્શન પ્રગટ કરે છે એટલે જ્ઞાનથી ઘણું હકીકત જણાય છે, પછી ગ્ય હકીકતને જાણ વાનું અને અગ્યને રદ કરવાનું કાર્ય દર્શન કરે છે. આ ઉપરાંત મહા ઉન્માદ તુલ્ય મિથ્યાત્વનો એ દર્શન નાશ કરે છે એટલે અજ્ઞાનદશાનો દર્શનપ્રાપ્તિથી છેડે આવે છે અને સન્માર્ગ તરફ આદર થાય છે. ૧ અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તો મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ. ૨ આયુષ્ય સિવાય બાકીનાં સાતે કર્મની. ૩ જુઓ નેટ પૃષ્ઠ. ૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy