SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ છે કે “ આવે! તદ્દન અસંભવિત મનાવ બનતા જોઇને ધર્માધાર મંત્રીશ્વર પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રાંકને આવું પ્રત્યક્ષ સુંદર ભેાજન આપીએ છીએ તેપણ તે લેતેા નથી અને કાંઈ ઉત્તર પણ આપતા નથી તેનું કારણ શું હશે? ઉલટું તેનું મોઢું ઝાંખું પડી ગયું છે, તેની આંખા મીંચાઇ ગઇ છે અને મોહથી જાણે તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હેાય તેમ લાકડાની ખીલી જેવા તે ચેષ્ટા ૧ગરના થઇ ગયા છે! એટલા ઉપરથી આ પાપાત્મા આવા સુંદર ભાજનને લાયક હોય એમ લાગતું નથી.”” આ જીવના સંબંધમાં આ સર્વ હકીકત અરાબર બંધબેસતી આવે છે. ગુરુ મહારાજ એવી રીતે વિસ્તારથી ધર્મની દેશના આપે અથવા બીજી રીતે પ્રયત્ન કરે છતાં પણ જ્યારે તેઓ આ પ્રાણીનેા ભદ્રકભાવ નાશ પામતા જુએ અને તેને ઉલટા વિપરીત માર્ગે પ્રવર્તતા જુએ ત્યારે તેના મનમાં સ્વાભાવિક રીતે વિચાર થાય છે કે આ જીવનું કલ્યાણ થવાનું નહિ હાવાથી તે ભગવન્તના ધર્મને લાયક નથી, તે સારી ગતિમાં જવાને ચેાગ્ય જણાતા નથી, ખરાબ ગતિમાં જનારા જણાય છે. વળી એના મનમાં અનેક માઠા કુવિકલા ઉઠતા હેાવાથી ધર્માત્માઆવડે સંસ્કારિત થવાને તે ચોગ્ય જણાતા નથી. આવા માહથી હાયલા પ્રાણી પર મારે પ્રયાસ કરવા તે નકામા છે, તેને માટે પરિશ્રમ ઉઠાવવા તે ફળ વગરના છે, તેની ઉપર મહેનત લેવી નિરર્થક છે. ૧૨૮ નિરર્થક પ્રયત્ન. ત્યારપછી વધારે વિચાર કરીને આપણે કથાપ્રસંગમાં ધર્મબોધકરને નક્કી કરતાં જોયા કે “ અથવા બીજી રીતે જો ઇએ તો તેમાં એ આપડાનેા કાંઇ પણ દોષ નથી. એ આપડો શરીરની અંદરના તથા બહારના એટલા બધા વ્યાધિઓથી ચાતરફ ઘેરાઇ ગયેલા છે અને તેની પીડાથી એટલા બધા મુંઝાઇ ગયા છે કે તે કાંઇ પણ જાણી શકતા નથી, સમજી શકતા નથી, વિચારી શકતા નથી. જો એમ ન હોય તે તે પોતાના અત્યંત હલકા તુચ્છ ભેાજન પર એટલી બધી પ્રીતિ શા માટે કરે? અને જો તેનામાં જરા પણ સમજણ હાય તો આવું અમૃત ભાજન શા માટે ગ્રહણ ન કરે ?” તેવીજ રીતે આચાર્ય મહારાજના મનમાં પણ એવાજ વિચાર ચાલતા હોય છે. તેઓ વિચારે છે કે આ જીવ વિષયોમાં શૃદ્ધિ રાખે છે, ખરાબ માર્ગે જાય છે, સાચેા ઉપદેશ આપતાં છતાં ગ્રહણ કરતા નથી તેમાં એ આપડાના કાંઇ દોષ નથી, પરંતુ તેમ થવામાં દોષ મિથ્યાત્વ વિગેરે ભાવ રોગોના છે. એવા દોષનું ઉત્પત્તિ કારણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy