SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] ભગવાનનું સપ્રમાણ ઉપકારીપણું. ૧૧૧ છે ત્યારે તેના ઉપર પણ ભગવાનની કૃપા થાય છે, કારણ કે ભગવાનની કૃપા વગર માર્ગાનુસારીપણું પણ પ્રાપ્ત થતું નથી. આ મહાત્માની કપા હોય તોજ ભાવપૂર્વક ભગવાનમાં બહુ માન થાય છે, તે વગર થતું નથી; કારણ કે આ બાબતમાં કમેને ક્ષય અથવા ઉપશમ અથવા તે તેવા બીજા હેતુઓ મુખ્ય ભાગ ભજવી શકતા નથી. પ્રગતિ કરવા માટે કર્મના ક્ષય અથવા ઉપશમની જરૂર છે, પણ તેથી થયેલી ઉત્કાતિ ટકી શકતી નથી એટલે વાસ્તવિક રીતે તેની ઉપર ઉપરની પ્રગતિ કામની નથી, જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ ખરી ઉત્કાન્તિ થાય છે. આ હકીકત લક્ષ્યમાં રાખીને આ પ્રાણી ઉપર ભાગવાને વિશેષે કરીને નજર નાખી દષ્ટિ કરી એ પ્રમાણે હકીકત ઉપરની કથામાં કહી છે. એ પરમાત્મા-પરમેશ્વરમાં આચિત્ય શક્તિ હોવાને લીધે અને અન્ય ઉપર ઉપકાર કરવાનું તેઓને તાન લાગેલું હોવાથી આ પ્રાણુની મોક્ષ સન્મુખ અથવા મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું પરમ કારણ તેઓજ છે એમ લક્ષ્યમાં રાખવું. આ પરમાભાનું નિરાકાર સ્વરૂપ આખા જગતના સર્વ જીવોનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે એટલે તેઓ રૂ૫ રહિત છે છતાં તેઓની કૃપાથી સર્વ પ્રાણ ભાવપૂર્વક ક્ષે જઈ શકે એ બરાબર હકીકત છે, તેપણું તે પ્રાણુનું ભવ્યપણું, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વિગેરે કારરણની અપેક્ષાપૂર્વક ભગવાનની કૃપા જગત ઉપર ઉપકાર કરવામાં પ્રવૃત્ત થાય છે તેથી ભગવાનમાં ભાવપૂર્વક સર્વને મોક્ષ લઈ જવાની શક્તિ છે, છતાં એક સાથે સર્વ પ્રાણુઓ મોક્ષ જઈ શકતા નથી. જે પ્રાણુના કાળ સ્વભાવ વિગેરે કારણે પરિપાકદશાને પામે તેજ પ્રાણી આગળ વધે છે અને તેના ઉપર ભગવાનની દૃષ્ટિ પડે છે. જે જીવનું કલ્યાણ થવાનું હોય છે અને જે ભદ્રકપરિણમી હોય છે તેના ઉપરજ ૧ પાંચ સમવાયી કારણ કહેવાય છે. કાળ (સમય, વખત), સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ (પુરુષાર્થ). આ પાંચે કારણે એકઠાં થાય ત્યારેજ કઈ પણ કાર્ય બને છે. સર્વ પ્રાણુઓને એક સાથે મોક્ષ થઈ શકતો નથી તેનું અત્ર કારણ બતાવ્યું. પ્રભુની કૃપા તો સર્વને મોક્ષ લઈ જાય તેવી છે, પણ બીજાં સમવાયી કારણોની મેક્ષ જવામાં અપેક્ષા રહે છે એ ધ્યાનમાં રાખવું. શાશ્વત ભાવ સિદ્ધોને અને ગુણોનો આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યો છે તે અહીં સ્પષ્ટ કર્યો છે. આનંદઘન મહારાજ પણ સિદ્ધને વર્ણવતાં છેવટે કહે છે કે “શાશ્વત ભાવ વિચારકે, પ્રાણું ખેલો અનાદિ અનંત; નિશાની કહા બતાવું રે.” સિદ્ધનું ઉપકારીપણું શાશ્વત ભાવને લઇને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy