SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ રહેલા અમૂલપર્યન્ત નગરને સર્વ કળાથી યુક્ત સર્વ કાળે' જોઇ રહેલા તેમજ તેની બહાર રહેલા દ્રવ્યને જેવામાં પણ સંપૂર્ણ શક્તિવાળા નિરંતર આનંદવાળા અને લીલામાં મગ્ન મહાનરેન્દ્ર આવી રહેલા છે એમ બતાવ્યું છે તે નિરાકાર ( કર્મરહિત-શરીરરહિત ) અવસ્થામાં વર્તનારા પરમાત્મા ભગવાન શ્રીસર્વજ્ઞ દેવ સમજવા. તે પરમાત્મા આ મર્ત્યલાકની અપેક્ષાએ એક બીજાની ઉપર આવી રહેલા માળ જેવા *સાત રાજલેાકરૂપ લેાકપ્રાસાદના શિખર ઉપર રહેલા છે. સિદ્ધશિલા પર બિરાજમાન મહાત્મા સર્વજ્ઞ મહારાજ જૂદા જૂદા પ્રકારના તે નગરના વ્યાપાર સાથે સરખાવવા યોગ્ય આખા સંસારના વિસ્તાર એકી વખતે નેઇ શકે છે એટલે આખા સંસારમાં શું થયું, થશે અને થાય છે તે બરાબર જ્ઞાનથી જાણી શકે છે એટલું જ નહિ પણ ચૌદ રાજલેાકની બહાર અલાકમાં રહેલ આકાશ દ્રવ્યને નેવાની પણ તેનામાં શક્તિ હાય છે, તેને લેાકાલેાકના સર્વ ભાવા પ્રત્યક્ષ કરનાર પાંચમું કેવળજ્ઞાન થયેલું હાવાથી તે તે નગરના અને નગરની બહારના સર્વ ભાવા હાથમાં રહેલા આમળાની પેઠે જોઇ શકે છે. તેને અનંત વીર્યરૂપ સુખ સંપૂર્ણ અનુભવાતું હાવાથી તે નિરંતર આનંદ કરતા જણાય છે અને તદ્રુપ લીલામાં મગ્ન છે. સંસારમાં રહેલા પ્રાણીઓ સાથે અથવા તેને ભાગે આનંદ ભાગવવા એ પરમાર્થથી વિડંબનારૂપ હોવાને લીધે એવા આનંદ તે આનંદ નથી અને તેને ભાગવનાર ખરા આનંદનું સ્વરૂપ સમજતા નથી. આ ભગવાન્ પોતાના અર્ચિત્ય વીર્યથી પાતામાં રહેલ સુખને અનુભવ કરે છે અને તેના વિલાસમાં આનંદ પામે છે. એવા મહાત્મા સર્વજ્ઞ મહારાજે અનેક રેગેાથી પીડાતા અને ભયંકર દર્શનવાળા પેલા નિપુણ્યક દરિદ્રીને કરૂણાપૂર્વક જોયા તેવી રીતે આ પ્રાણી પણ પેાતાની તથાભવ્યતા પાકી જવાથી આગળ પ્રગતિ કરે છે અને ઉન્નતિના માર્ગ પર આગળ આગળ પ્રયાણ કરતા જાય ભગવાન ની કૃપા. ૧ અતીત, અનાગત અને વર્તમાન–સર્વ કાળના સર્વ ભાવા કોઇ પણ વખતે નેઇ રહેલા. સર્વજ્ઞપણાથી આ પ્રમાણે અને છે. ૨ અષ્ટમૂલપર્યન્ત તે આખા સંસાર છે તેની બહાર અલામાં માત્ર આકાશ દ્રવ્ય છે તેને જોવાની પણ સર્વજ્ઞની શક્તિ છે. ૩ મનુષ્ય રહે છે તેને વચ્ચેના મર્ત્યલાક અથવા તીછોલાક કહે છે. ૪ આ મર્ક્યુલેાક ઉપર સાત રાજલેાક વૈમાનિક દેવેના નિવાસના છે અને તેને છેડે સિદ્ધશિલા આવી રહેલી છે જે પરમાત્માનું નિવાસસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy