SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૧ કરતાં એવી ફુરણું થઈ આવવા લાગી કે “ખરેજિજ્ઞાસા ખર, મારું નામ નિપુણ્યક છે તે પ્રમાણે હું પુણ્ય ફુરણા. વગરનો જ છું, જેને લઈને આવું દેવને પણ મળવું મુશ્કેલ સુંદર રાજમંદિર મે અત્યાર સુધી અગાઉ કદિ જોયું પણ નહિ અને તેને જોવાનો ઉપાય પણ કર્યો નહિ!! મેહને લીધે મારી વિચારણુશક્તિ એટલી બધી મંદ પડી ગઈ હતી કે આ રાજમંદિર કેવું હશે તે જાણવાની મને જિજ્ઞાસા પણ અત્યાર સુધી ઉત્પન્ન થઈ નહિ ! ચિત્તને અત્યંત આહાદ ઉત્પન્ન કરનાર, આ સુંદર રાજમંદિર બતાવનાર અને મારી ઉપર મોટી કૃપા કરનાર આ દ્વારપાળ મારે ખરેખર બંધુ છે. હું નિર્ભાગી છું છતાં મારી ઉપર આ ભાઈએ ઘણી મોટી કૃપા કરી છે. સર્વ પ્રકારના સંશયથી રહિત થઈને અને ચિત્તમાં પરિપૂર્ણ હર્ષ લાવીને આ મંદિરમાં રહેવાને આનંદ જેઓ ભેગવે છે તેઓ ખરેખરા ભાગ્યશાળી છે. આ પ્રમાણે હકીકત અગાઉ કહી છે તે સર્વ મારા (આ) જીવના સંબંધમાં બરાબર ઘટાવવી. કેઈ વખત તીર્થંકર મહારાજના સમવસરણનાં દર્શનથી, જિનેશ્વર મહારાજના મોટા સ્નાત્ર મહોત્સવનું અવલોકન કરવાથી, વીતરાગ ભગવાનના બિંબને દેખવાથી, શાંત તપસ્વીઓના સાક્ષાત્કારથી અથવા શુદ્ધ શ્રાવકની સોબતથી અથવા તો તેમનાં કરેલાં સારાં અનુષ્ઠાનો જેવાથી આ પ્રાણીના અધ્યવસાયે શુભ ધ્યાનથી વિશુદ્ધ થઈ જાય છે તે વખતે તેને મિથ્યાત્વભાવ ખસી જાય છે અને મનનું વલણ નમ્ર થઈ જાય છે તે પ્રસંગે સર્વે બાબત જાણે સર્વજ્ઞદર્શનને ગોચર હોય એવો તેને વિચાર આવે છે, આવા વિચારથી તેજ વિચારે ઉપર આ પ્રાણીને પ્રીતિ થાય છે અને અત્યાર સુધી એવા સુંદર વિચાર કરવાની પોતાને તક મળી નહિ તે માટે તેના મનમાં દિલગીરી થાય છે; જેન માર્ગના ઉપદેશ કરનારનો તે પછી તુરત આશ્રય શોધે છે અને જૈન ધર્મમાં રહેલ બીજા લેકોને માટે અંતઃકરણપૂર્વક બંધુબુદ્ધિથી માન લાવે છે. આ સર્વ હકીકત જે લધુકમ જીવો સન્માર્ગની નજીક આવ્યા હોય છે અને જેઓએ ગ્રંથિભેદ કર્યો હોય અથવા ન કર્યો હોય પણ જેઓ સમ્યગદર્શન પામવાની નજીક આવી ગયા હોય છે અને જેમાં કેટલાક વખત સુધી ભદ્રકભાવે વર્તતા હોય છે તેઓની છે એટલે અહીં જે વાત કરવામાં આવી તે ઉત્કા ૧ તીર્થંકર મહારાજ વિચરે છે ત્યાં દેવતાઓ સુંદર કામચલાઉ રચના કરે છે તેને સમવસરણ”ના નામથી ઓળખવામાં આવે છે. એના વિવેચન માટે જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ભાષાન્તર પ્રથમ પર્વ-ત્રીજે સર્ગ. પૃ. ૧૨૧ થી ૧૨૩ (બીજી આવૃત્તિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy