SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] માર્ગાનુસારીને! સરળ માર્ગ, ૧૦૭ રખડતા રખડતા ઘણી વાર આવી પહોંચ્યા હતા એમ મને યાદ આવે છે, પણ તેની નજીક આવું ન આવું ત્યાં તે! મહાપાપી દ્વારપાળા મને ત્યાંથી હાંકી મૂકતા હતા” આ પ્રમાણે પ્રથમ કહેવામાં આવ્યું છે તે સર્વ આ જીવના સંબંધમાં બરાબર મળતું આવે છે; તે આવી રીતેઃ થોડા સમયમાં જેઓનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય પ્રાણીએ મહા મુશ્કેલીએ જ્યારે સર્વજ્ઞાાસનને પ્રાપ્ત કરે છે ત્યારે જો કે તે વખતે તે સર્વજ્ઞશાસન સંબંધી વિશેષ હકીકત જાણતા નથી તેાપણ તેઓ 'માર્ગાનુસારી થયેલ હાવાથી તેનાં મનમાં એવા વિચાર થાય છે કે અહે! આ અર્હત્ ભગવાનનું દર્શન અત્યંત અદ્ભુત છે! અહીં જે લોકો વસે છે તેઓ જાણે ભાઇએ હાય, મિત્રો હાય, એક અર્થ સિદ્ધ કરવાની ઇચ્છાવાળા હોય, હૃદય અર્પણ કરી દેનારા હાય, એક આત્માવાળા હોય તેમ અરસ્પરસ વર્તે છે; તેઓ જાણે અમૃતનું પાન કરીને ધરાઇ ગયા હોય તેવા જણાય છે, તેઓને કાઇ પણ પ્રકારનેા ઉદ્વેગ હેાયજ નહિ તેવા દેખાય છે, તેઓને કોઇ પ્રકારની ચિંતા જણાતી નથી, તેઓ ઉત્સાહથી ભરપૂર દેખાય છે, તેનાં મનના સર્વ મનારથા જાણે પૂરા થઇ ગયા હેાય તેવા તે જણાઇ આવે છે અને તે સર્વ વખત આખી દુનિયાના સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર દેખાય છે. આ પ્રમાણે હાવાથી આ સર્વજ્ઞમંદિર ઘણું સુંદર છે, પણ અગાઉ કદિ મરાબર વિચાર કરેલા ન હેાવાથી તે મંદિર આવું સુંદર છે એમ કદિ જાણ્યું નહતું. આ જીવ ગ્રંથિપ્રદેશ સુધી અનેક વખત આવી ગયા, પરંતુ તે ગાંઠના ભેદ કરીને તેણે કદિ પણ સર્વજ્ઞશાસનનું અવલાકન કર્યું નહતું, કારણ કે રાગ દ્વેષ વિગેરે ક્રૂર દરવાને વારંવાર તેને ત્યાંથી હાંકી મૂકતા હતા તેથી તેણે મંદિરના અંશને કદાચ જોયા હાય, પરંતુ જે વિભાગમાં સમ્યકપ્રાપ્તિ થાય છે તે તેણે અત્યાર સુધી કદિ પણ જોયા નહાતા અને તે સંબંધમાં તેણે કદિ કાંઇ વિચાર પણ કર્યાં નહાતા. અગાઉ કથાપ્રસંગમાં કહ્યું કે તે દરિદ્રીને વારંવાર વિચારણા રસ્તે ચડનારના શુદ્ધ વિચારે. ૧ રસ્તાપર આવી ગયેલને ‘માર્ગાનુસારી’ કહે છે. એના ૩૫ ગુણા-માહ્ય ચિહ્નો બતાવ્યાં છે તે માટે જીએ યોગશાસ્ત્ર ( બી. મા. ભાષાંતર) પૃષ્ઠ ૯૨–૩ (પ્રથમ પ્રકાશ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy