SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૧ ષ સુંદર પરિણામ લાવે તેવા હોય છે. આવા પ્રાણુઓ ઉપર જણુંવેલી હકીકત પ્રમાણે ભગવાનના શાસનની બહાર હોતા નથી, તેટલા માટે બુદ્ધિપૂર્વક વિચાર કરનારે (વિદ્વાને) અવશ્ય શીધ્ર મોક્ષ અપાવનાર આ ભગવાનના શાસનમાં ભાવપૂર્વક રહેવું ઉચિત છે. આ ભગવાનના શાસનમાં જે પ્રાણી રહે છે તેઓને તે અવશ્ય સુંદર ભોગો પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે, તેને પ્રાપ્ત કરાવનાર બીજે કઈ હેતુજ નથી એ હકીકત ઉપર જણાવી છે. મતલબ એ છે કે જે કારણોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે જ કારણથી વિષયોની પ્રાપ્તિ થાય છે, તેથી આ શાસન સર્વ રીતે બુદ્ધિમાનને પસંદ આવે તેવું છે. આવી રીતે અપ્રતિપાતી' સુખને પ્રાપ્ત કરાવી આપવાનું કારણ હોવાથી આ પરમેશ્વરનું રાજ મંદિર નિરંતર ઉત્સવવાળું છે એમ કહેવામાં આવ્યું હતું. ઉપરનાં સર્વ વિશેષણેથી યુક્ત રાજ મંદિર જેમ કથાનકમાં કહેલા દરિદ્રીએ જોયું તેવી રીતે તે સર્વ વિશેષણથી યુક્ત સર્વજ્ઞશાસન આ જીવ જુએ છે. મંદિરદર્શનથી ફુરણા. સર્વ ઇદ્રિને તત્ત્વથી નિર્વાણનું કારણ એવા તે રાજમંદિરને જોઈને “આ શું હશે?” એમ તે રંક આશ્ચર્યપૂર્વક વિચારવા લાગ્યો. તેનામાં હજુ ઉન્માદ ઘણે હતો તેથી આ રાજમંદિર સંબંધી વિશેષ તાવિક હકીકત તે જાણતો નહોતો.” આ પ્રમાણે અગાઉ નિપુયકની કથામાં કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે આ જીવને કર્મ વિવાર (માર્ગ) આપે છે ત્યારે મહામુશ્કેલીએ જૈન શાસન પામીને “એ શું હશે!” એમ જાણવાની જિજ્ઞાસા કરે છે, પરંતુ ઉન્માદની સાથે સરખાવવા 5 મિથ્યાત્વ (અજ્ઞાન)ના અંશો તેનામાં હજુ બહુ હોવાથી તેવી અવસ્થામાં હોય ત્યાંસુધી જિનમતના વિશેષ ગુણે તે તત્ત્વથી જાણતા નથી. ત્યારપછી તે કથાનકમાં કહેલા નિપુણ્યકને “હવે ચેતના પ્રાપ્ત થવા માંડી છે તેથી વિચાર કરતાં કરતાં તેના મનમાં આ પ્રમાણે કુરણું થવા લાગી. તે વિચાર કરે છે કે “જે રાજમંદિરમાં નિરંતર ઉત્સવ થઈ રહ્યો છે અને જે રાજમંદિર દ્વારપાળની કૃપાથી હું આજે જ જોઉં છું તે અત્યાર સુધી મારા જેવામાં કદિ પણ આવ્યું નહોતું! આ રાજમંદિરના દરવાજા પાસે અગાઉ પણ હું ૧ સુખની પાછળ દુઃખ ન થાય તેવું, પાત ન થાય તેવું, અંત વગરનું સુખ. આવું સુખ મોક્ષમાં પામે છે. ૨ આ હકીક્તને સંબંઘ પૃષ્ઠ. ૨૦ ૫. ૧૧ થી શરૂ થતા પારિગ્રાફ સાથે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy