SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] રાજમંદિરમાં વિષયો. ૧૦૫ વિષયમાં પ્રતિબંધ કરતો નથી એટલે તે વિષયોમાં અંધ લેીિ થઈ અતિ આસક્ત થઈ જતું નથી. એ પ્રમાણે વિષયભોગ ઉપર અત્યંત રાગ ન હોવાને લીધે વિષય ભોગવતાં પણ પ્રાણી પૂર્વે બાંધેલ પાપ ૫૨ભાણુઓના બંધને શિથિલ કરે છે અને સુંદર ફળ આપે તેવાં પુણ્યનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. આવા પુણ્યને જ્યારે વળી ઉદય થાય છે ત્યારે સંસાર પરથી આ પ્રાણીને વિરાગ ઉત્પન્ન કરાવે છે, સુખની પરંપરા આપે છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત કરાવે છે–તેટલા માટે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે વિષયના ઉપભેગનેજ સુંદર પરિણામવાળા કહેવામાં આવ્યા છે અને પાપાનબંધી પુણ્યના ઉદયથી જે વિષયભેગે પ્રાપ્ત થાય છે તે એકદમ મારી નાખે તેવા ઝેરથી લેપ કરાયેલા લાડવા ( લડુ)ની પેઠે ભયંકર પરિણામ ઉપજાવનાર હોવાથી વાસ્તવિક રીતે “ગ” નામનેજ ઉચિત નથી, કારણ કે મરૂ ભૂમિ (મારવાડ)ની મૃગતૃષ્ણ (ઝાંઝવા)માં દેખાતા પાણીના કલ્લોલની પેઠે તેને માટે દેડનાર પુરુષોને શ્રમ તદ્દન નિષ્ફળ હોવાથી તે તૃષ્ણાને વધારી મૂકે છે, પણ મનધાર્યા વિષયે કદિ પ્રાપ્ત થતા નથી. (ઝેરી લાડવા ખાવાથી તરત પ્રાણ લે છે અને ભયંકર પરિણુંમ લાવે છે તેવા તે વિષય છે. ઉજડ જંગલમાં ઝાંઝવાનું જળ પીવા માટે ગમે તેટલું દોડવામાં આવે તે સર્વ પ્રયાસ નકામે જાય છે અને પાણી મળતું નથી તેમ આવા વિષય તૃણું વધારે છે અને પોતે મળતા નથી). કદાચ મહામુશ્કેલી એ મળી જતાં તેને ભેગવવામાં આવે તો તે વખતે તે કિલષ્ટ આશયોને વધારે છે અને તેથી અધમ વિચારથી વ્યાપ્ત થઈ જઈ પ્રાણુ પોતાની બુદ્ધિ ઉપર અંધી ચઢાવે છે અને વિષયો ઉપર બહુ રાગ-પ્રીતિ આસક્તિ કરે છે. આવી રીતે થોડા દિવસ રહેનાર વિષયોને ભોગવતી વખત તેને પ્રાપ્ત કરાવી આપનાર અલ્પ પુણ્યને પ્રાણી ખપાવી દે છે, વાપરી નાખે છે અને તીવ્ર પાપકર્મના ભારથી પોતાના આત્માને ભારે કરે છે. એવી રીતે બાંધેલાં પાપકર્મો જ્યારે ઉદયમાં આવે છે અને તેનાં પરિણામો ભોગવવા પડે છે ત્યારે આ પ્રાણી અનંત દુઃખથી ભરેલા સંસારસમુદ્રમાં અનંત કાળ ભટક્યા કરે છે; તેટલા માટે પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે ઇંદ્રિયના ભેગેને ભયંકર પરિણામવાળા કહેવામાં આવ્યા છે. સંસારમાં રહેલા કેટલાક પ્રાણીઓને પ્રાપ્ત થયેલા શબ્દાદિ વિ૧ બેંગાલ રોયલ એશઆટિક સાયટીએ છપાવેલ મૂળ ગ્રંથનું પૃ. ૭૬ અહીંથી શરૂ થાય છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy