SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ એવી સ્ત્રીઓ તે રાજમંદિરની બહાર જ છે એમ સમજવું. આ સર્વરશાસનરૂપ મંદિર ભાવવડેજ ગ્રહણ કરવાનું છે, તેથી બહારની છાયામાત્રથી તેમાં દાખલ થઈ ગયેલા છે એમ દેખાતા પ્રાણીઓને પરમાર્થથી તેમાં દાખલ થયેલા સમજવા નહિ. તે રાજમંદિરમાં પાંચે ઈદ્રિયના અનેક પ્રકારના ઉપગ થઈ શકે તેવા અનુપમ વિષયે હતા અને તેથી તે મંદિર મંદિરમાં બહુ સુંદર લાગતું હતું એમ કહીને તે પર વિવેચન વિષયે. કથાપ્રસંગમાં ત્યારપછી કરવામાં આવ્યું છે તેની યોજના આ પ્રમાણે કરવીઃ સર્વ ઇદ્રો તે રાજમંદિ૨ના મધ્ય ભાગમાં વસે છે. એ સિવાય બીજા પણ મહર્ફિક દેવતાઓ પણ ઘણું કરીને ભગવાનના મતરૂપ રાજમંદિરની બહાર હોતા નથી. આવી રીતે જ્યાં વિમાનના સ્વામી દેવતાઓ અને ઇંદ્ર વસતા હોય ત્યાં શબ્દ વિગેરે ઇંદ્રિયના અનુપમ વિષપભેગની સુંદરતા હોય એમાં કાંઈ નવાઈ લાગતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઇંદ્રિયના વિષયોની પ્રાપ્તિના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવા ગ્ય છે કે વિષય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. એ પુણ્ય બે પ્રકારનું હોય છે. પાપાનુબંધી અને પુણ્યાનુબંધી. તેમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે ઇંદ્રિયના વિષયોને અનુપમ વિશેષણ ઘટે છે, કારણ કે સારી રીતે રાંધેલાં મનહર ભોજનની પેઠે તેનું પરિણામ સુંદર આવે છે. જેમ સારી રીતે તૈયાર કરેલું ભેજન ખાતી વખત સુંદર લાગે છે અને ત્યારપછી શરીરમાં અજીર્ણ કર્યા વગર શરીરની તુષ્ટિ અને પુષ્ટિ કરે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગો પ્રાણીના અધ્યવસાયને વિશેષ ઉજળા કરે છે અને આવી રીતે તે પ્રાણીને આશય ઉદાર થવાથી તે ૧ મોટી ઋદ્ધિવાળા. ૨ ઇન્દ્રો તથા મહર્દિક દેવતાઓના છ પ્રાયે ભવ્ય અને સમકિતી હોય છે, ઘણું ખરું મિથ્યાદષ્ટિ છો અને અભવ્ય એ સ્થાન પામતા નથી. ૩ જે પુણ્યનો ઉદય થાય ત્યારે પુણ્યનો બંધ થાય તે પુણ્યાનુબંધી, જે પુણ્યનો ઉદય થાય ત્યારે પાપને બંધ થાય તે પાપાનુબંધી. બન્ને પુણ્ય છે, પણ એકમાં અનુબંધ પુણ્યને અને બીજામાં પાપને છે. બન્નેના હદય વખતે તો ભેગ મળે છે, પણ આગળના પરિણામને લઈને આ ભેદ પાડ્યા છે. આ આખો પેર વાંચવાથી તે વાત સ્પષ્ટ થશે. ૪ આત્માના વ્યક્ત આવિર્ભાવ (વિચારને મળતું બાહ્ય ફુરણ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy