SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] રાજમંદિરનાં પાત્રો. ૧૦૩ આચરવાં અને તીર્થકર મહારાજ તથા સાધુની ભક્તિ કરવી–એ બાબતમાં જેઓનું મન લાગી રહ્યું છે એવી શ્રાવિકાઓ સમજવી. તેઓ પણ શ્રમણોપાસક (શ્રાવક)ની પેઠે સર્વજ્ઞ મહારાજની આરાધના કરવામાં તત્પર રહીને નિરંતર આજ્ઞાને અભ્યાસ કરે છે (આજ્ઞા પ્રમાણે વર્તે છે), વિશુદ્ધ શ્રદ્ધા (દર્શન)માં પિતાના આત્માને વિશેષ દૃઢ કરે છે, અણુવ્રતોને ધારણ કરે છે, ગુણવ્રતને ગ્રહણ કરે છે, શિક્ષાવ્રતોને અભ્યાસ કરે છે, જુદા જુદા પ્રકારનાં તપ કરે છે, સ્વાધ્યાય કરવામાં રમણ કરે છે, સાધુઓને પોતાનું ભલું કરે તેવું ઉપકરણ વિગેરેનું દાન આપે છે, સગુરુ મહારાજના પાદમાં વંદન કરીને હર્ષ પામે છે, સારા સાધુને નમસ્કાર કરીને સંતોષ પામે છે, સુંદર ધર્મકથા કરવામાં મેસેજ માને છે, સ્વધર્મી બંધુઓને પોતાના નજીકના સગા સંબંધી કરતાં પણ વધારે ગણે છે, જે દેશમાં સ્વધર્મ બંધુ ન હોય ત્યાં રહેવું પડે તો મનમાં ઉદ્વેગ પામે છે, સાધુ મહાત્માને વહેરાવ્યા સિવાય પિતાને ભોજન લેવું પડે તો તે તેમને પસંદ પડતું નથી અને ભગવાનના ધર્મની સેવા કરવાથી જાણે પિતાને આત્મા આ સંસારરૂપ દુ:ખ સમુદ્રને પાર પામી ગયો હોય એમ અંતઃકરણપૂર્વક માને છે. આ પ્રમાણે હોવાથી તેઓ પણ સર્વજ્ઞશાસનમંદિરના મધ્ય ભાગમાં પૂજાનાં ઉપકરણનો આકાર ધારણ કરનારી હોઇ શ્રમસેપાસકે સાથે બંધાઈને (તેઓની સ્ત્રી તરીકે-ગૃહસ્થ સ્ત્રી તરીકે) અથવા તેઓથી છુટી (વિધવા અથવા કુમારી શ્રાવિકાઓ તરીકે) રહીને વસે છે. જે સ્ત્રીઓ આવા પ્રકારની ન હોય તે પણ કદાચ તે રાજમંદિરના મધ્ય ભાગમાં રહેતી બહારથી જણાય તોપણ પરમાથેથી ૧ જે દેવની આરાધનને ઉપાય તેની આજ્ઞાને અભ્યાસ કરવો તેજ છે. यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि. હરિભદ્ર સૂરિ–પ્રથમ અષ્ટક લેક છો. ૨ દિપરિમાણ, ભેગે પગપ્રમાણ અને અનર્થદંડત્યાગ. ૩ સામાયિક, દેશાવગાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ. ૪ તપના અનેક પ્રકાર છે: બાહ્ય અને અત્યંતર–તે પ્રત્યેકના પણ બહુ ભેદ છે. ૫ મંદિરમાં જઈએ ત્યાં કોઈ કેશર બરાસ કુલ તૈયાર રાખે ત્યારે જાણે તે પૂજાનાં ઉપકરણને આકાર ધારણ કરનાર હોય તેવી લાગે છે. પાઠાંતરે–પૂનાનાં ઉપકરણ હાથમાં લઈ જાણે કહેતી હોય કે આ, પધારે, પૂજા કરે-એવી શ્રાવિકાઓ ત્યાં છે. પાઠાંતર પૂનો રળવારઃ એમ છે. ૬ ગૃહસ્થી ન હોય તેવી સ્ત્રીઓ એટલે જેઓ કુમારી અથવા વિધવા હોય છે તે પણ શ્રાવિકા નામને યોગ્ય છે (જે તેનામાં શ્રાવિકા૫ણાના ગુણ હોય તો). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy