SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ{ ભેદ પાડ્યા વગર સર્વ સાધુઓને મન વચન ઢાયાથી વંદન કરે છે, સ્થવિરા જનને ઠેકાણે ગોઠવાયલી આપ્યું-સાધ્વીને ભક્તિપૂર્વક નમે છે, વિલાસિનીને સ્થાનકે ગોઠવાયલી શ્રાવિકાઓને સર્વ ધર્મનાં કામેામાં ઉત્સાહ આપે છે અને તીર્થંકર મહારાજના જન્માભિષેક', નંદીશ્વર દ્વીપની યાત્રા અને મનુષ્યલેાકનાં પર્વન્નાત્ર વિગેરે સર્વ ધ્યાન રાખી યથાયોગ્ય કરે છે. મતલબ કે તે દેવ હોય તે દેવતાને યાગ્ય અને મનુષ્ય હોય તે મનુષ્યને યોગ્ય સર્વ ક્રિયાઓ કરે છે. ટુંકામાં જૈન શાસનમાં ખતાવેલી નિત્ય ક્રિયાઓ તથા નૈમિત્તિક ક્રિયા તેઆ ઉચિત રીતે કરે છે. તેએના સંબંધમાં વધારે કેટલી હકીકત કહેવી? તેઓ જૈન શાસન સિવાય ભાવપૂર્વક બીજું કાંઇ પણ શ્વેતા નથી, સાંભળતા નથી, જાણતા નથી, અનુસરતા નથી, અન્ય ઉપર પ્રીતિ કરતા નથી, અન્યનું પરિપાલન કરતા નથી, માત્ર જૈન શાસનજ મહાકલ્યાણનું કરનાર છે એમ અંતઃકરણથી માને છે. તેને સર્વજ્ઞ મહારાજ તરફ ઘણી ભક્તિ હાય છે તેથી તે સર્વજ્ઞ મહારાજને પણ વહાલા લાગે છે એટલે તે સર્વજ્ઞમંદિરની અંદર રહેનારા વિનયી ઋદ્ધિવાળા મોટા કુટુંબીઓ જેવા છે એમ સમજવું. રાજમંદિરમાં પણ એવા આશ્રિત ભાયાત જેમ મહારાજાના અંગરક્ષકની જેવું કામ કરી રાજ્ય પર પ્રેમ રાખીને રહે છે તેમ આ વિનીત શ્રાદ્ધોના સંબંધમાં પણ સમજવું. આવી શુભ દૃષ્ટિ સિવાય અન્ય દૃષ્ટિવાળા જીવાને તે આ સર્વજ્ઞભુવનમાં વસવાટજ ક્યાંથી હોય ? ત્યારપછી મૂળ કથાનકમાં આગળ કહેવામાં આવ્યું છે કે વિલાસ કરતી અનેક રમણીય સુંદર સ્ત્રીએથી તે મંદિર દેવલાકને પણ જીતી લેતું હતું.” તેની યેાજના સર્વજ્ઞમંદિરમાં આવી રીતે કરવી: વિલાસ કરતી સ્ત્રીઓ તે અત્ર સમ્યગ્દર્શન ધારણ કરવું, ‘અણુવ્રતાને મંદિરમાં રમણીએ. ૧ મેરૂપર્વત ઉપર. ૨ પંચકલ્યાણક પ્રસંગે તથા નિત્ય અઠ્ઠાઇમાં દેવા નંદીશ્વર દ્વીપની યાત્રા કરે છે. Jain Education International ૩ દરાજ કરવાની ક્રિયા: આવસ્યક, પૂજન વિગેરે. ૪ અમુક પ્રસંગે કરવાની ક્રિયા: પ્રતિષ્ઠા, કલ્યાણુક્રમહેાત્સવ વિગેરે. ૫ જૈન દર્શન તરફ ચિ. ૬ હિંસાત્યાગ, સત્ય વચનેાચ્ચાર, પરવસ્તુગ્રહણયાગ, સ્ત્રીસંબંધયાગ અને પરવસ્તુ પર માલીકીનું અસ્થાપન. એ પાંચ તેને સર્વથા આદરવાં તે મહામત કહેવાય છે, જ્યારે તેને દેશથી દરવાં તેને અણુવ્રત’ કહેવામાં આવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy