SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] રાજમંદિરનાં પાત્ર. ૧૧ મહાનિર્જરાનું કારણ સાધર્મિક વાત્સલ્યને જાણીને વારંવાર તેઓને તેમના કર્તવ્યની યાદી આપે છે (સ્મારણું), અયોગ્ય કામ કરતાં વારે છે (વારણું), શુભ કાર્ય કરવા પ્રેરણું કરે છે (ચોયણું), સારાં કામો માટે વારંવાર પ્રેરણા કર્યા કરે છે (પડિચોયણુ) અને તેમ કરીને પિતાના શિષ્યવર્ગને તેમજ શ્રાવિકાવર્ગને ખેટે રસ્તે જતાં વારંવાર અટકાવે છે અને સાથે માર્ગ તેઓને લઈ આવે છે. વળી તેઓને *વિષય વિષના વિષમ વિપાક વિદિત હોવાથી વિષયભેગથી નિવૃત્ત વૃત્તિવાળા થઈને સંયમમાં તેઓ રહે છે, અનેક પ્રકારની તપસ્યા કરવામાં કીડા કરે છે, નિરંતર સ્વાધ્યાય ( અભ્યાસ અને મનન) કરવામાં આનંદ માને છે, પ્રમાદોને જરા પણ સેવતી નથી અને કોઈ પણ પ્રકારની શંકા ઉઠાવ્યા વગર આચાર્ય મહારાજના આદેશને ઉઠાવી લે છે. તે રાજમહેલની ચોકી કરવા માટે અનેક સુભટે ચારે તરફ વીંટાઈને રહેતા હતા” એ પ્રમાણે અગાઉ કહ્યું છે. મંદિરમાં આ સુભટો તે ભગવાનના શાસનમાં શ્રમણોપાસક સુભ. શ્રાવકે સમજવા. તેઓની સંખ્યા મોટી હોવાથી તેઓ રાજમંદિરની ચોતરફ વ્યાસ થઈને રહેલા છે, કારણ કે દેવગતિમાં અસંખ્ય શ્રાવકે હોય છે, મનુષ્યગતિમાં સંખ્યાતા હોય છે, તિર્યંચગતિમાં બહુ પ્રકારના હોય છે અને નારકગતિમાં પણ બહુ હોય છે. તેઓ શુરાતન, ઉદારતા અને ગંભીરતા આદિ અનેક ગુણવાળા હોવાથી ભગવાનના શાસનના દુશ્મને જેઓનાં હૃદયમાં મિથ્યાત્વે વાસ કરેલ હોય છે તેને ઉખેડી નાખવામાં ઘણી ચતુરાઈ ધારણ કરનારા હોય છે અને આવી અનુપમ પ્રવૃત્તિ માટે તેઓ “સુભટના ઉપમાનને બરાબર રીતે ગ્ય છે. તેઓ સર્વદા સર્વર મહારાજનું ધ્યાન કરે છે, આચાર્યરૂપ રાજાઓની આરાધના કરે છે, ઉપાધ્યાયરૂપ અમાત્યને ઉપદેશ આચરે છે, ધર્મધુરંધર ગીતાર્થની આજ્ઞા પ્રમાણે સર્વ ધર્મકાર્યમાં જોડાય છે, સાધુવર્ગ ઉપર અનુગ્રહ કરનાર ગણુચિંતકે જેમને કામદારનું સ્થાન આપવામાં આવ્યું છે તેઓને વસ્ત્ર, પાત્ર, ભાત, પાણું, ઔષધ, આસન, સંથારે, ઉપાશ્રય વિગેરે વિધિપૂર્વક આપે છે, કેટવાળ જેવા સાધુ પુરુષોમાં આ સાધુ આજનો દીક્ષિત છે-આ ઘણું વખતનો છે એવો કઈ પ્રકારને ૧ પોતાના ધર્મબંધુઓનું હિત કરવું તે. ૨ ઇંદ્રિયના વિષયરૂપ ઝેરનું ભયંકર પરિણામ તેઓ જાણતા હોવાથી, ૩ આ શ્રાવકો ચતુર્થ ગુણસ્થાનકે સ્થિત થયેલા સમજવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy