SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવન તેમજ ખરેખરા ડહાપણવાળા કોટવાળા રહેલા હતા,” એમ પ્રથમ કહ્યું છે. આ તલગિક-ક્રાટવાળા તે સર્વજ્ઞરાજમંદિરમાં રહેલા સામાન્ય સાધુ સમજવા. તે લક્ષ્યપૂર્વક આચાર્ય મહારાજની આજ્ઞાને ઉઠાવી લે છે, ઉપાધ્યાયના હુકમેને અમલમાં મૂકે છે, ગીતાર્થના વિનય કરે છે, ગણચિંતક જે મર્યાદા-હદ આંધી આપે તેનું ઉલ્લંઘન કરતા નથી, ગચ્છ કુલ ગણુ કે સંઘનાં કામમાં પેાતાની જાતને જોડી દે છે અને ગચ્છ કુલ ગણુ કે સંઘ ઉપર કાઇ પણ પ્રકારની ઉપાધિ આવી પડે તે પાતે પાતાની જીંદગીને જોખમે પણ તે વિપત્તિને દૂર કરવા પ્રયત્ન કરે છે. તેમાં શુરાતન, ભક્તિ અને વિનય એટલાં બધાં હાય છે કે તેઓ કોટવાળ'ની સાથે સરખામણી કરવા ચેોગ્ય છે, કારણ કે કાટવાળનું કામ પણ શુરાતનથી ભરપૂર હેાય છે. તેઓને સ્વામી ઉપર અત્યંત ભક્તિ હાય છે અને તેએ પેાતાના ઉપરી અધિકારી તરફ બહુ વિનયપૂર્વક વર્તે છે. એવી રીતે જે જૈન શાસનને અત્ર રાજ્યભુવન તરીકે ઓળખાવવામાં આવ્યું છે તેમાં આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે ઉપાધ્યાય તેનું ચિંતવન કરે છે, ગીતાર્થી તેનું રક્ષણ કરે છે, ગણચિંતકા તેની પુષ્ટિ કરે છે અને સાધુ મહાત્માઓ ચિંતા વગરના થઇને નિષ્કૃત થયેલા માર્ગને યથાયોગ્ય રીતે અનુસરે છે. આ પ્રમાણે હેવાથી સદરહુ રાજ્યભુવન આચાર્ય આદિથી વ્યાસ છે એમ સમજવું. ૧૦૦ મંદિરમાં કાટવાળ. મંદિરમાં “તે મંદિરમાં અનેક સ્થવિરા (વૃદ્ધ સ્ત્રી) રહેતી હતી કે જેમણે પોતે વિષયના ત્યાગ કર્યાં હતા અને જે મદાન્મત્ત થયેલી યુવાન સ્ત્રીઓને યોગ્ય અંકુશમાં વૃદ્ધાઓ. રાખવાને શક્તિમાન હતી.” એ પ્રમાણે અગાઉ નિપુણ્યકની કથામાં કહેવામાં આવ્યું છે. તેની યાજના સર્વજ્ઞશાસનમાં આ પ્રમાણે કરવી. સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી ) તે આ રાજમંદિરમાં આર્યા ( સાધ્વીએ ) સમજવી. સ્થવિર સ્ત્રીઓને માટે ઉપર એ વિશેષણા કહ્યાં છે: એક તે તેએ મદોન્મત્ત સ્ત્રીઓનું નિવારણ કરનાર છે એમ કહ્યું છે અને પેાતે ઇંદ્રિયા સંબંધી વિષય ભાગેાથી નિવૃત્ત થયેલી છે એમ કહ્યું છે; આ બન્ને વિશેષણા ‘આર્યા’– સાધ્વીને બરાબર મળતાં આવે છે. તેઓના પેાતાના શિષ્યવર્ગ અને શ્રમણાપાસક ( તીર્થંકરના ભક્ત શ્રાવક) વર્ગની સ્ત્રીએ જ્યારે પ્રમાદ ( આળસ )ને વશ થઇ ધર્મકાર્યમાં આળસ કરતી હાય છે ત્યારે પાતે પરોપકાર કરવામાં તત્પર થઇને અને ભગવાનના આગમમાં બતાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy