SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ એને બહુ સારી રીતે જ્ઞાન થયેલું હાવાથી અને તેને વિચારવામાં તેઓએ મેાટી કુશળતા પ્રાપ્ત કરેલી હોવાથી તે સર્વે નીતિશાસ્ત્રને જાણનારા છે. જેમ રાજમંત્રી મુદ્ધિવડે આખા રાજ્યનાં સર્વ અંગેાની તુલના કર્યાં કરે છે તેમ આ ઉપાધ્યાયેા પેાતાના અસાધારણ બુદ્ધિવૈભવથી આખા સર્વજ્ઞશાસનનાં સર્વ અંગેાની તુલના કર્યાં કરે છે, તેથી તેઓ મંત્રી–અમાત્ય' શબ્દને ચેાગ્ય રીતે ધારણ કરતા શાલી રહ્યા છે. “ જેએ પાતાની આગળ યમને પણ લડાઇના મેદાનમાં જોઇ જરા પણ ગભરાતા નહાતા તેવા અસંખ્ય યાધા એ રાજમંદિરમાં વસતા હતા”—આ પ્રમાણે અગાઉ કહેવામાં આવ્યું છે. મહાયાધાએ તે અત્ર ગીતાર્થી સમજવા. તેનાં અંત:કરણમાં તત્ત્વની વિશિષ્ટ ભાવના હોવાથી દેવતાઓ કદિ મહા ભયંકર ઉપસર્ગો કરે તેપણ તેનાથી તેઓ જરાએ ક્ષેાભ પામતા નથી અને ઘેર પરિષહાથી જરા પણ ડરતા નથી. તેઓના સંબંધમાં વધારે વાત શી કરવી ? કદાચ તેઓ પેાતાની સામે યમ જેવા ભયંકર ઉપદ્રવ કરનારને જુએ એટલે કે પેાતાને મરણાંત ભય પ્રાપ્ત થાય તેપણ તેઓને તેના જરા પણ ત્રાસ થતા નથી. જેમ મહાયેાધાએ લડાઇના છેડા વિજયમાં લાવી શકે છે તેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે ગચ્છ, ફળ, ગણુ અને સંઘને મેક્ષપ્રાપ્તિ કરાવવા દ્વારા તેના સંસારના તેઓ છેડો લાવનાર હાવાથી આ ગીતાર્થ વૃષભાને મહાયેાધા' કહેવામાં આવ્યા છે. મંદિરમાં યેાધા. “ એ વિશાળ રાજમંદિરમાં અનેક નિયુક્તકા (કામદારો) હતા જે જરા પણ વ્યાકુળતા વગર કરોડો નગરનું તથા અસંખ્ય ગામ અને ખાણાનું પરિપાલન કરતા હતા અને તેને સર્વ પ્રબંધ ચલાવતા હતા” એમ અગાઉ જણાવવામાં આવ્યું છે. તેમાં કામદારો તે આ સર્વજ્ઞ મંદિરમાં કામદાર. ૧ જૈન મતનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર હાય, ષટ્નાસ્રમાં નિપુણ હાય અને નિયંત્રણા કરાવવામાં કુશળ હેાય તેને ગીતાર્થ’ સાધુ કહેવામાં આવે છે. ૨ કાઇએ કરેલાં-નીપાવેલાં દુઃખ. અન્યકૃત અનુકૂળ પ્રતિકૂળ સત્ત્વપરીક્ષાનાં કાર્યને ઉપસર્ગ કહેવામાં આવે છે. ૩ ક્ષુધા તૃષા સહન કરવી તે. તેના ખાવીશ પ્રકાર છે તે માટે જીએ નવ તત્ત્વ-સંવરતત્ત્વ. ૪ સાધુઓના નાના મેાટા વિભાગને કુળ, ગણ અને ગચ્છ કહેવામાં આવે છે. આખા સમુદૃાયને સંધનું નામ આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy