SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ) રાજમંદિરનાં પાત્રો. ૯૭ અગાઉ કહેલી કથામાં રાજભુવનનાં બે વિશેષણ કહેવામાં આવ્યાં હતાં. એક તો તે અષ્ટપૂર્વ હતું (એટલે મંદિરમાં તેને અગાઉ કદિ જોયેલું નહોતું) અને બીજું અનેક સંપરાજાઓ. ત્તિઓથી તે ભરપૂર હતું એટલે તેમાં અનેક પ્રકારની ઋદ્ધિ સિદ્ધિઓ ભરેલો છે) એ વિશેષણને લગતી સર્વ હકીકતને ઉપર બરાબર ખ્યાલ આપ્યો છે. ત્રીજું વિશેષણ ત્યારપછી તે રાજભુવનના સંબંધમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમાં અનેક રાજાઓ, પ્રધાનો, મેટા ધાઓ, મંત્રીઓ, કામદારો વિગેરે રહેતા હતા તે વિશેષણનો ઉપનય અત્ર હવે સ્પષ્ટ કરીએઃ-ત્યાં કથાનકમાં કહેવામાં આવ્યું છે કે “અનેક રાજપુરુષો જેઓનાં અંતરમાં બળતા તેજથી તેઓના શત્રુઓ પલાયન કરી ગયા હતા અને જેઓના બાહ્ય વ્યાપારે સર્વ શાંત થઈ ગયા હતા એવાઆવડે આ રાજમંદિર વસાયેલું હતું.” આ રાજાઓ તે સવૅજ્ઞશાસનના આચાર્યો સમજવા. તેઓનાં અંતરમાં મહા તપસ્યાનું તેજ ઝળઝળાયમાન હોવાથી તેઓના રાગ દ્વેષ એહ વિગેરે શત્રુઓ પલાથન કરી ગયા હોય છે અને બહારના સર્વ વ્યાપાર શાંત થઈ ગયેલા હેવાથી તેઓ આખા જગતને આનંદ આપવાના હેતુભૂત હોય છે. જેમ સ્થળ રાજાઓ રનથી ભરપૂર હોય છે અને પ્રભુત્વવાળા હોય છે તેમ તેઓ (આચાર્યો) ગુણરતથી ભરપૂર હોવાને લીધે અને પ્રભુતાની સાથે જોડાઈ ગયેલા હોવાને લીધે “રાજા” શબ્દને સર્વ પ્રકારે ગ્ય છે. “અનેક મંત્રીઓ જેઓને આખા જગતની ચેષ્ટા સાક્ષાત જણાઈ રહેલી હતી, જેઓએ પોતાની બુદ્ધિથી પિતાના મંદિરમાં શત્રુઓને પણ ઓળખી લીધા હતા અને જેઓ મંત્રીઓ. સર્વ નીતિશાસ્ત્રોને પાર પામી ગયા હતા તેવાઓ આ અતિ વિશાળ રાજમંદિરમાં વસતા હતા–આ. પ્રમાણે અગાઉ કહેવામાં આવ્યું છે. અહીં સવૈજ્ઞશાસનમાં મંત્રીને સ્થાને ઉપાધ્યાય સમજવા. તેઓને વીતરાગ ભગવાનના આગમન સાર સારી રીતે જણાયેલો હોવાથી તેઓને આખા જગતની ચેષ્ટા જણાયેલી છે એમ કહ્યું છે. તેઓએ પોતાની બુદ્ધિના જોરથી રાગ મેહ વિગેરે પિતાના ખરા શત્રુઓ કેણું છે તેને ઓળખી લીધેલા હોય છે અને શાસ્ત્રનું ખરું રહસ્ય બતાવનાર ચાવી જેવા ગ્રંથોનું તે ૧ જુએ અગાઉ પૃષ્ઠ ૧૯. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy