SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ છે તેઓનાં મનમાં હર્ષ-આનંદ વર્તે છે અને તેઓ ચંદનની પાસે રહેવાવાળા હોવા છતાં તેઓના આનંદને નાશ થતો નથી. આ જિનેશ્વર મહારાજાના શાસનમાં રહેલા પ્રાણીઓ પોતાના સ્વાભાવિક હર્ષથી રાજી થઈને પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાને બહાને આખો વખત ગાયા કરે છે, આચાર્ય વિગેરે દશનું વૈયાવચ્ચ કરવારૂપ અનુષ્ઠાન કરીને તદ્રપ નાચ કરે છે, તીર્થકર મહારાજના જન્મને અવસરે તેઓનો મેરૂ પર્વત પર થતો અભિષેક કરવા માટે તેઓનું સમવસરણ રચવા માટે તથા પૂજા રથયાત્રા આદિ મહોત્સવો કરવા માટે અનેક પ્રકારની ધામધુમ કરવામાં કુદે છે, ૫ર દર્શનના વાદીઓ સાથે વાદવિવાદ કરતાં મોટા સિંહનાદ કરે છે અને ભગવાનનાં ચ્યવન (માતાની કુક્ષિમાં અવતરણ), જન્મ, દીક્ષા, કેવલ્યાનપ્રાપ્તિ અને મેક્ષગમન એ પાંચ કલ્યાણકને પ્રસંગે હર્ષમાં આવી જઈ તેઓ સારાં વાજિંત્રો વગાડે છે. આ પ્રમાણે હોવાથી આ જિનેશ્વર મહારાજનું શાસન જેમાં નિરંતર આનંદ આનંદ થયા કરે છે અને જેમાં રહેવાથી સર્વ સંતાપ નાશ પામી જાય છે તે આ જીવને ભાવપૂર્વક કદિ પણ મળ્યું હોય એમ લાગતું નથી. એમ ધારવાનું કારણ એ છે કે આ પ્રાણીનું સંસારમાં ભટકવાનું હજુ ચાલુ જ છે. ભગવાનનું શાસન ભાવપૂર્વક પ્રાપ્ત કરીને અને તેમના ફરમાનને બહુ સારી રીતે અનુસરીને વિશુદ્ધ વર્તન કરવામાં આવેલ હોત તે ઘણુ વખત અગાઉ આ જીવને મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ હોત અને તેના સંસારભ્રમણુને છેડે આવી ગયે હેત. ૧ એ નિયમ છે કે ચંદનનું વૃક્ષ સારી રીતે ઉગે તે માટે તેની આજુબાજુ નજીકમાં બીજું વૃક્ષ હોય છે તેને કાપી નાખવામાં આવે છે અને જેને કાપી નાખે તેઓનાં દુઃખને પાર રહેતો નથી. આ સમકિતી પ્રાણી ચંદન જેવા સુગંધી–અતિ સુંદર ગુણવાળા મહાત્મા પાસે રહે તોપણ તેના આત્મિક આનંદનો નાશ થતો નથી. ૨ વાચના-વાંચવું તે, પૃચ્છના સવાલ પૂછવા તે, પરાવર્તન ભણેલું સંભારી જવું તે, અનુપ્રેક્ષા ભણેલ બાબત પર વિચાર કરી છે તે અને ધર્મકથા ધર્મો પદેશ આપવો તે. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય છે. જૈન શાસનમાં આસક્ત પ્રાઓએ આ પાંચ સ્વાધ્યાયમાં નિરંતર ઉદ્યત રહેવું એ આદેશ છે. ૩ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન (રેગી), નવ દીક્ષિત મુનિ, સામી (સ્વધર્મ), કુળ, ગણુ અને સંઘ. ૪ ઉપર જણાવેલ દશને આહારાદિ લાવી આપી, જરૂરીઆતો પૂરી પાડી તેઓની સેવા કરવી તેને “વૈયાવચ્ચ” કહેવામાં આવે છે. - ૫ આને માટે જુઓ ઉપરનું પૃષ્ઠ–૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy