SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ]. મંદિરમાં શાંતિ અને ઉત્સવ. સુંદર વસ્તુ હવે કઈ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી. આ સંસારમાં જે સારામાં સારી વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવામાં મળી ચૂકી છે. આથી તેઓનું મન તૃપ્ત થઈને સંપૂર્ણ મનોરથવાળું થયેલું હોય છે અને તેથી તેઓને શાંતિ થયેલી હોય છે તેને શરીરે લગાડેલા ગેરચંદનથી થયેલી શાંતિ સાથે યોગ્ય રીતે સરખાવવામાં આવેલ છે. ઉપર પ્રમાણે હકીક્ત હોવાથી મહાત્મા જિનેશ્વર દેવના મતમાં વર્તતા પ્રાણીઓને શેક કદિ હોતાજ નથી, તેઓમાં મંદિરમાં નિરં દીનતા દેખાતી નથી, તેઓની આતુરતા સંતાઈ ગયેલી તર ઉત્સવ. હોય છે, કામદેવને વિકાર છુપાઈ ગયેલું હોય છે, અન્ય વસ્તુ કે પ્રાણુ તરફ ચીડ (દુગચ્છા) આવવાની હકીકત ઉપર તેમને ચીડ આવે છે, તેઓના સંબંધમાં મનનો ઉગ તદ્દન અસંભવિત છે, તૃષ્ણ તેઓથી ઘણે દૂર નાસી ગયેલી હોય છે અને ત્રાસને તેઓએ મૂળથીજ ત્રાસ પમાડેલ-દૂર કરેલો હોય છે, તેઓનાં મનમાં ધીરતા રહે છે, ગંભીરતા ઘર કરીને વાસે કરે છે, ઉદારપણું અત્યંત પ્રબળ થતું જાય છે અને આત્મવિશ્વાસ ઘણે વધી જાય છે. સ્વાભાવિક શાંતિ સામ્રાજ્યરૂપ સુખના અમૃતને તેઓ વારંવાર સ્વાદ લેતા હોવાથી તેઓનાં હૃદયમાં નિરંતર 'ઉત્સવ ચાલ્યાજ કરતે હોય છે અને તેને લીધે તેઓને પ્રબળ રાગ મંદ થઈ ગયું હોય છે તો પણ તેઓનાં ચિત્તમાં રતિને પ્રકર્ષ વૃદ્ધિ પામે છે, તેઓને મદરૂપ વ્યાધિ નાશ પામ્યો હોય છે તોપણું ૧ આ આખે પારિગ્રાફ સુસ્થિત રાજાના મંદિરમાં ચાલતા ઉત્સવની હકીકત સાથે યોજવાનું છે. એ મંદિરમાં નિરંતર મહોત્સવ કેવી રીતે ચાલે છે તે અત્ર બતાવ્યું છે. ૨ રતિને પ્રકર્ષ એટલે શુભ રાગ સમજવો. રાગ વિના રતિ હેય નહિ છતાં તેઓને શુભ રાગ હોય છે. અહીં રતિ શબ્દ શ્લેષ છે. રાગ વગરના છે તે પણ રતિવાળા છે એ વિરોધાભાસ છે. રાગને પ્રથમ અર્થ મોહ અને બીજો અર્થ ગુણાનુરાગ સમજવો. ૩ મદ-અહંકાર, અભિમાન. તેઓ ગર્વ રહિત છે તે પણ તેઓનાં મનમાં હર્ષ વર્તે છે. સારા ગુણે જોઈને તેઓને પ્રમોદ થાય છે, મદને અર્થ હર્ષ પણ થાય છે. તેથી અહીં વિરોધ બતાવતાં કહે છે કે તેઓ મદ્દ (ગર્વ) રહિત છે તો પણ તેઓ મદ, (હર્ષ) વાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy