SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવન મતમાં સમ્યગ્દર્શન' ગારૂ (ગાશીર્ષ) ચંદનના વિલેપનનું કાર્ય કરે છે, કારણ કે ગેરૂચંદન જેમ મનુષ્યનાં શરીરને લગાડવાથી શાંતિ આપે છે તેમ આ સમ્યગ્દર્શન મિથ્યાત્વ અને કષાયના સંતાપથી મળી રહેલા ભવ્ય વાનાં શરીરને અત્યંત શાંતિ આપે છે તે આવી રીતે:-સર્વજ્ઞ મહારાજે અતાવેલા જૈન દર્શનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની મુખ્યતા છે એ વાત સુપ્રસિદ્ધ છે. હવે જે ભાગ્યવાન્ પ્રાણીએ એ દર્શનમાં વર્તતા હેાય છે તેઓએ નરકના મહા અંધકારમય ગ્રૂપ પેાતાને માટે બંધ કરી દીધા છે, તિર્યંચગતિરૂપ મંદિખાનાને ભાંગી નાખ્યું છે, અધમ મનુષ્યપણામાં થતાં દુ:ખાને દળી નાખ્યાં છે, હલકી જાતના (તુચ્છ) દેવાનાં મનમાં થતા અનેક સંતાપાનું મર્દન કર્યું છે, મિથ્યાત્વરૂપ વૈતાળના નાશ કરી નાખ્યા છે, રાગ વિગેરે શત્રુઆને હીલચાલ વગરના કરી નાખ્યા છે, કર્મને એકઠાં કરવારૂપ અજીર્ણને જીણું કરી નાખ્યું છે, વૃદ્ધાવસ્થાના વિકારને તિરસ્કારી નાખ્યા છે, મરણભયને હસી કાઢ્યો છે તથા દેવલાક અને મેક્ષનાં સુખને કરતલવત્તી ( હાથમાં આવેલાં) કરી મૂક્યાં છે. અથવા તે એ દર્શનમાં વર્તતા ભાગ્યશાળી પ્રાણીઓ સાંસારિક સુખની જરા પણ દરકારજ કરતા નથી, તે આ આખા સંસારના પ્રપંચને ત્યાગ કરવા યોગ્યપણાની બુદ્ધિથીજ જુએ છે, તે એમ સમજે છે કે આ ભવપ્રપંચમાં કાંઇ પણ આદરવા યોગ્ય નથી, સર્વ ત્યાગ કરવા ચેાગ્ય છે, તેઓએ મોક્ષપ્રાપ્તિ માટે એક તાન લગાવી પેાતાનાં અંતઃકરણને તેમાં જોડી દીધેલાં હોય છે અને પેાતાને મેાક્ષ મળવાનું છે એ સંબંધમાં તેનાં મનમાં કદિ જરા પણુ શંકા હાતીજ નથી, કેમકે *ઉપાય અને ઉપેયપ પરસ્પર વિરૂદ્ધ હોતાં નથી. તેઓ સમજે છે કે પરમપદ જે મેાક્ષ છે તેની પ્રાપ્તિ માટે સજ્ઞાન દર્શન ચારિત્રરૂપ માર્ગ છે તે અપ્રતિહત શક્તિવાળા છે-કદિ પણ પા પડે તેવા નથી, સીધા, સરળ અને પ્રેરણા કરનાર છે અને એવા મેાક્ષપ્રાપ્તિના ઉપાય અમને મળી ગયા છે. આવા સુંદર માર્ગના તેઓને લાભ થવાથી તેનાં મનમાં નિશ્ચય થયેલા હોય છે કે આથી વધારે ૧ એટલે એવા પ્રાણીએ કદિ નરકગતિમાં જાય તેવા સંભવ નથી. તેઓને માટે નારકી બંધ છે. Jain Education International ૨ તિર્યંચતિગમન પણ તેને માટે બંધ છે. ૩ જ્યાં આનંદ ભાગ નહિ એવું તુચ્છ મનુષ્યપણું, દરિદ્રીગૃહમાં જન્મ વિગેરે. ૪ મેળવવાનાં સાધનો. ૫ મેળવવાની વસ્તુ, સાધ્યું. (અત્ર મેક્ષ ઉપેય છે). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy