SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] : વૈભવની વાનકીઓ-શીલાંગ. પ્રકારની ભક્તિ (રચના)થી ગોઠવવામાં આવે છે. આ પરમેશ્વર કર્યું છે અને ત્યાં એક કષ્ટક આપ્યું છે જે જોવાથી ૧૮૦૦૦ શીલાંગના અઢાર હજાર લોક બનાવી શકાય તેવું છે. જિજ્ઞાસુએ આ ભાગ તે પુસ્તકમાંથી જરૂર વાંચી જવા યોગ્ય છે. એ લેખકની વિશિષ્ટ શક્તિનું ભાન કરાવે છે. પ્રસ્તુત અઢાર હજાર ભેદ કેવી રીતે પડે છે તે આપણે અહીં વિચારી જઈએ: યોગ ત્રણ છે: મનગ, વચનોગ, કાગ. કરણ ત્રણ છેઃ કરવું, કરાવવું અને અનુમોદવું. સંજ્ઞા ચાર છેઃ આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુનસંજ્ઞા. ઇંદ્રિય પાંચ છે સ્પર્શેન્દ્રિય, સંદ્રિય, પ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રિય. પૃથ્વીકાયાદિ દશને આરંભ થાય છે. પૃથ્વીકાય આરંભ, અપ્લાય આરંભ, તેઉકાય (અગ્નિ) આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બેઇદ્રિય આરંભ, તેઇદ્રિય આરંભ, ચૌરિન્દ્રિય આરંભ, પંચંદ્રિય આરંભ અને અજીવ આરંભ. યતિધર્મ દરા પ્રકારે છે: ક્ષમા (કો ત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવા (ભાયાત્યાગ), મુક્તિ (લોભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રપણુંઅન્નત્યાગ), અકિંચન (ધન ૫ર નિઃસ્પૃહતા) અને બ્રહ્મચર્ય. આ છમાંથી દરેકના એક વિભાગ લેવાથી એક શીલાંગ થાય છે. દાખલા તરીકે પ્રથમ ભેદ આવી રીતે થાય: “મને કરી આહારસંજ્ઞા રહિત થઈ શ્રોત્રેન્દ્રિયને સંવર કરી ક્ષમા યુક્ત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહિ.” હવે આ વાકયમાંથી બીજું બધું કાયમ રાખી “ક્ષમા યુક્ત” શબ્દને બદલે “માર્દવ યુક્ત” એ શબ્દ મૂકવાથી બીજે ભેદ શીલાંગને થાય, તેવી રીતે “આર્જવ યુક્ત” શબ્દ મૂકવાથી ત્રીજે શીલાંગને ભેદ થાય. આવી રીતે દશ યતિધર્મના ભેદને ઉપર બતાવવામાં આવ્યા છે તેનાં દશ વાક્ય કરી દશ શીલાગે કરવાં. આ દશ વાક્યો લખી રાખવાં. એ સર્વ પૃથ્વીકાયના આરંભને અંગે થયા. એ દશે વાકયોને પ્રથમથી વારાફરતી લઈ “પૃથ્વીકાયનો આરંભ કરે નહિ? એટલા વાકયને સ્થાને અનુક્રમે “અકાયો આરંભ કરે નહિ, તેઉકાયને આરંભ કરે નહિ” એવા દશ પ્રકારના આરંભને બદલતાં સે શીલાંગ થાય. એવી રીતે સો વાક લખાયાં. તે સર્વ શ્રેન્દ્રિયના સંવરને અંગે થયા. એને સ્થાને અનુક્રમે ત્યારપછી સ્પર્શ, રસ, પ્રાણુ અને ચક્ષુના સંવરની હકીકત લખવાથી પાંચસે લાગે થાય. આ સર્વ “આહારસંશા રહિત ને અંગે ભેદો ગણ્યા છે. તે પાંચમું વાક સાથે ત્યાર૫છી ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા રહિત હોવાની હકીકત લખવાથી બે હજાર ભેદ થાય, આ બે હાર વા અનુક્રમે લખી જવાં. આ સર્વ ભેદ “મને કરીને થયા તેને વચને કરી” અને “કાયાએ કરી’ એમ લખવાથી છ હજાર ભેદ થાય. એ છ હજાર ભેદમાં કરે નહિ' એમ જણાવેલ છે, તેની સાથે બીજા કરાવે નહિ” અને “અનુમોદન કરે નહિ' એવા છ છ હજાર ભેદ લખવાથી અઢાર હજાર શીલાંગ થાય છે. આવી રીતે યોગ, કરણ, સંજ્ઞા, ઇદ્રિય, આરંભ અને યતિધર્મનો પરસ્પર યોગ કરવાથી અઢાર હજાર શીલાંગ થાય છે. આવી રીતે ૧૮૦૦૦ શીલાંગ બીજી પણ બહુ રીતે થાય છે. જુઓ, તેની બુક બહાર પડેલી છે તે પ્રકાશક લીમશી માણેક. ૧ વિભાગ, ભેદ, ફલને ગોઠવવામાં આવે છે તેમ શીલાંગને ભેદે ગોઠવવામાં અાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy