SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ર ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૧ વિગેરે અનેક પ્રકારની લબ્ધિઓ દેખાય છે. વળી આ જિનમતમાં અતિ સુંદર હેાવાને લીધે વિચિત્ર વસ્ત્રોના આકારને ધારણ કરનાર અનેક પ્રકારનાં તપેા સજ્જન પુરુષાનાં હૃદયનું આકર્ષણ કરી રહ્યા છે. વળી આ પારમેશ્વર મતમાં સુંદર રચનાને લીધે સારી રીતે ગોઠવાયલા હોવાથી ચપળ ઉજ્જ્વળ વસ્ત્રોના ચંદરવામાં લટકાવેલા માતીના ગુચ્છાઓના રૂપને ધારણ કરનાર વેંચરણ કરણના મૂળ ઉત્તર ગુણા મનને અત્યંત આનંદ ઉપજાવે છે. આવા જૈન શાસનમાં વર્તનારા ભાગ્યશાળી પ્રાણીઓનાં ‘સત્યવચન' તાંબૂલ (પાન) જેવાં છે, કેમકે જેમ તાંબૂલ મંદિરમાંના પ્રા- મેઢાનું સારાપણું, સુગંધીપણું અને મનનું આનંદિતણીએની શાંતિ પણું આપે છે તેમ તે સત્યવચન પણ સારાપણાની સુગંધી ફેલાવે છે અને મનને પ્રસન્ન રાખે છે. આ ભગવાનના મતમાં મનેાહર ફુલના ઢગલાના આકારને ધારણ કરનાર ૮ અઢાર હજાર શીલાંગો' પોતાની સુગંધી ચારે દિશામાં તથા વિદિશામાં ફેલાવે છે, કારણ કે ફુલના સમૂહ જેમ ભમરાઓને આનંદ આપે છે તેમ આ શીલાંગે મુનિ મહાત્મારૂપ ભ્રમરાને અત્યંત પ્રમાદ આપે છે અને ફુલાને જેમ ગુંથવામાં આવે છે તેમ આ શીલાંગાને વિચિત્ર ૧ પરમ ઐશ્વર્ય-જ્ઞાન દર્શન ચારિત્ર સંપત્તિથી યુક્ત તીર્થંકર ભગવાને બતાવેલ મેાક્ષમાર્ગમાં. ૨ ચારિત્ર અને ક્રિયા જેમાં વર્તનને સમાવેશ થાય છે તે. ચારિત્રના મૂળ ગુણે તે પાંચ આશ્રવના ત્યાગરૂપ સમજવા. હિંસા ન કરવી, અસત્ય ન ખાલવું, ચારી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવા-આ પાંચ મૂળ ગુણેા છે. વળી ચરણ અને કરણના સિત્તેર સિત્તેર ઉત્તરગુણા છે જેને ચરણસિત્તરી અને કરણસિત્તરીના નામથી એળખવામાં આવે છે. એ બન્ને જાતના ગુણાનું વિસ્તારથી સ્વરૂપ અધ્યાત્મકલ્પદ્રુમના વિવેચનમાં લખ્યું છે, તેથી અત્ર તે પુનઃ નિર્દિષ્ટ કરવામાં આવ્યું નથી. જીએ સદર ગ્રંથ (પ્રથમાવૃત્તિ) પૃષ્ઠ ૩૯૯ થી ૪૦૨ સુધી. આવી રીતે સર્વજ્ઞશાસનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અતિ ઉત્કૃષ્ટ પ્રકારન છે એમ આ પારિગ્રાફમાં બતાવવામાં આવ્યું છે. ૩ શીલાંગ એટલે શાલ-શુદ્ધ વર્તન, અત્યુત્તમ ચારિત્રનાં અંગે. એના અઢાર હાર વિભાગ પાડવામાં આવ્યા છે અને તેને રથને આકાર ચિતરવામાં આવ્યું છે. તે આકાર ખરાખર સન્મુખ રાખવાથી અઢાર હજાર ભેદ રથના આકારમાં બતાવી શકાય છે. ત્રણ યાગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇન્દ્રિય, પૃથ્વીકાય વિગેરે દશ અને દશ સાધુધર્મ-ચતિધર્મ-એના મેળાપથી અઢાર હજાર શીલાંગ થાય છે તેનું વિવેચન શ્રીપ્રવચનસારાદ્દાર ગ્રંથ (પ્રકરણ રત્નાકર-ભાગ ત્રીજો-પૃષ્ઠ ૩૩૯) માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy