SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ ચાર પ્રકારના સંઘલક્ષણવાળું સદરહુ સુસ્થિત મહારાજાનું મંદિર પ્રાપ્ત કરે છે. ત્યાં સર્વરશાસનરૂપ મંદિરમાં પ્રવેશ કરાવવાને તત્પર પિતાના કર્મને વિવર (વિચ્છેદ-વિનાશ) તેને મુખ્ય સાધનભૂત થાય છે અને તેથી સર્વજ્ઞમંદિરના દ્વારપાળ તરીકે કાર્ય કરનાર “સ્વકર્મવિવર” એવું પિતાનું નામ બરાબર સાર્થક કરે છે તે દરવાન છે. ત્યાં રાગ, દ્વેષ, મોહ વિગેરે પણ દ્વારપાળ તરીકે કામ કરે છે, પરંતુ ખરેખરી રીતે તેઓ આ પ્રાણુને રાજમંદિરમાં દાખલ કરનારા નથી, પણ તેના માગમાં મુશ્કેલી નાખનારા છે અને તેને અટકાવનારા છે. સર્વર મહારાજના મંદિરના દરવાજા નજીક આ જીવ અનંતી વાર આવી ગયો અને આવ્યા કરે છે, પણ તે રાગ દ્વેષ મહાદિ દ્વારપાળો તેને વારંવાર રેકી પાડે છે, તેને અંદર દાખલ થવા દેતા નથી. કદાચ કઈ વખત એ રાગ દ્વેષાદિ દ્વારપાળો આ પ્રાણુને સર્વજ્ઞમંદિરમાં દાખલ કરે છે, પરંતુ તેઓ વડે એ મંદિરમાં દાખલ થયેલ પ્રાણી વાસ્તવિક રીતે દાખલ જ નથી એમ જણાઈ આવે છે, કારણ કે જેઓનું ચિત્ત રાગ દ્વેષથી આકુળ વ્યાકુળ રહેલું હોય તેઓ કદાપિ બહારથી યતિ કે શ્રાવકનાં એમાં મૂળ શ્લોક ૮૧૨ અને તેના પર અભયદેવ સૂરિની ટીકા ૯૦૦ શ્લોક લગભગ છે. આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર પ્રો. બુલરે કર્યું છે. ૯) અંતગડદશાંગ. એના ૩ વર્ગ અને બધાં મળી ૯૦ અધ્યયન છે. મૂળ લોક ૯૦૦ અને તેના ઉપર શ્રી અભયદેવ સૂરિની ટીકા ૩૦૦ છે. (૯) અનુત્તરવવાઈ સૂત્ર. એનાં તેત્રીશ અધ્યયન છે. મૂળ શ્લોક ૨૯૨ છે. એના ઉપર શ્રી અભયદેવ સૂરિ મહારાજની ટીકા ૧૦૦ શ્લેક પ્રમાણે છે. (૧૦) પ્રશ્નવ્યાકરણ. એનાં દશ અધ્યયન છે. મૂળ સૂત્ર ૧૨૫૦ શ્લોક પ્રમાણ છે. અભયદેવ સૂરિ મહારાજે તેના ઉપર ૪૬૦૦ શ્લોક પ્રમાણુ ટીકા લખી છે. (૧૧) વિપાકસૂત્ર. તેના બે વિભાગ છે. સુખવિપાક ને દુઃખવિપાક. દરેકનાં દશ દશ હોવાથી આ સૂત્રનાં વીશ અધ્યયન છે. એના મૂળ શ્લેક ૧૨૧૬ છે. એના ઉપર અભયદેવ સૂરિ કૃત ટીકા ૯૦૦ શ્લોકની છે. | સર્વ મળીને અગ્યાર અંગની મૂળ સંખ્યા ૩૫૯૫૯, ટીકાના લોક ૭૩૫૪૪ ચૂણિ ૧૨૭૦૦, નિર્યુક્તિ ૭૦૦. કુલ શ્લોક ૧૩૧૬૦૩. પ્રથમનાં બે સૂત્રો પર શીલાંગાચાર્યની ટીકા છે, બાકીનાં નવે ઉપર શ્રી અભયદેવ સૂરિની ટીકા છે, તેથી તેમને નવાંગવૃત્તિકારના નામથી ઓળખવામાં આવે છે. બારમું દષ્ટિવાદ અંગ જે અતિ વિસ્તારવાળું હતું અને જેના એક વિભાગ તરીકે ચૌદ પૂર્વ હતાં તે તદ્દન વિચ્છેદ ગયું છે, અત્યારે તેનો નાનો ટુકડો પણ મળતો નથી. ૧ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર પ્રકારને સંઘ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy