SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] કરણ, ગ્રંથિભેદ અને સ્થિતિ. ૭ સિવાય બીજાં સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓછી કરી સર્વ પણ ઘણી વાર નિર્જરા થઇ જાય છે: જેમકે એ ત્રણ ચાર ઇંચિવાળા જીવા મન વગર દુ:ખે. સહન કરે છે તેએ અકામ નિર્જરા કરે છે. પશુએ અને મનુષ્યા પણ પરાધીનપણે ઘણું સહન કરે છે. એવી રીતે પેાતાનાં છેદન ભેદનથી પણ ઘણી નિર્જરા ઇચ્છા વગર થઇ આવે છે; સ્વાભાવિક રીતે કષાયની મંદતા પણ કેટલીક વાર થઇ જાય છે. આવી સ્થિતિ થતાં પ્રાણી ઘણાં કર્મોને ખપાવી દે છે અને નવીન બંધ થાડા કરે છે. એવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધીમાં આ પ્રાણીને કેટલાક ગુણા એવા સારા પ્રાપ્ત થઇ જાય છે કે તેને નિર્જરા કરવાનું સકામવૃત્તિએ પણ બહુ વખત બની આવે છે. આવી રીતે યથાપ્રવૃત્તિ કરણ કરે તે વખતે આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મની વધારેમાં વધારે સ્થિતિ એક કાડાકેાડિ સાગરેાપમથી કાંઇક ઓછી રહે છે. એની હકીકત એમ છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકાટ સાગરાપમની છે. સાગરોપમના સ્થિતિકાળ આપણે અગાઉ જોઇ ગયા છીએ ( જુએ પૃ. ૮૨ ની નેટના. ૧) એવા એકડા ઉપર પંદર મીંડાં ચડે ત્યારે કાટાકાટ થતાં સાગરોપમે। ૩૦ વખત થાય ત્યારે જેટલે કાળ જાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપરનાં ચાર કર્મોની હાય છે એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મને વધારેમાં વધારે ઉદયકાળ ઉપર જણાવ્યું તેટલા થાય છે એટલે તેટલા વખત સુધી તે પેાતાનું પરિણામ-ફળ ખતાવી શકે છે. એવા એવા ખીજા અનંત ભવમાં બાંધેલાં જ્ઞાનાવરણીય કર્યું આત્મા સાથે લાગેલાં હેાય છે, પણ તે પ્રત્યેકની સ્થિતિ વધારેમાં વધારે ઉપર કહી તેટલીજ હાય છે-તેવી રીતે સર્વ કર્મ માટે સમજી લેવું. એવી રીતે નામ અને ગેાત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કાડાકાંડ સાગરેાપમની હાઇ શકે છે અને મેાહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કાડાર્કાડિ સાગરાપમની હેાઇ શકે છે. આવી રીતે સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારી. આઠમા આયુષ્ય કર્મની સ્થિતિ ભવ આશ્રયી હેાય છે તેથી અત્ર તે સંબંધી કાંઇ વિચાર કરવાના નથી. આ રીતે સાત કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે તે પ્રત્યેક જાતનાં ગમે તેટલાં કર્મો હાય તે દરેકની કાંઇક ઓછી એક કાડાકાર્ડિ સાગરોપમની સ્થિતિ આ પ્રાણી કરી નાખે છે ( કાંઇક એછી એટલે પલ્યેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સમજવી). આવી રીતે સર્વ કર્મની સ્થિતિના યાગ થઇ આવે અથવા પ્રાણી પેાતે પુરુષાર્થ વાપરી કરે તેને યથાપ્રવૃત્તિ કરણ કહેવામાં આવે છે. પ્રમાણમાં અહીં કર્મસ્થિતિ ઘણી ઓછી છે, છતાં આવું કરણ તા ભવસ્થિતિમાં પ્રાણી અનેક વાર કરે છે, કારણ કે કોઇ વાર તે પુરુષાર્થે વાપરી–વીર્યોલ્લાસ દાખવી એ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને કાઇ વાર તેમ સંયેાગખળે થઇ આવે છે. આવી સ્થિતિ થાય છે ત્યારે તે ગ્રંથિ (મિથ્યાત્વની ગાંઠ )ના ભેદ કરવાની નજીકની સ્થિતિમાં આવે છે, પરંતુ શુભ પરિણામ વિશેષ આગળ ન વધવાથી કાંઇ પ્રગતિ કર્યા સિવાય પાળે ચાલ્યા જાય છે અને વધારે સ્થિતિવાળાં કર્મો ખાંધે છે. આવી રીતે ઘણી વાર પ્રાણી ગ્રંથિની નજીક આવી જાય છે અને અનંતી વખત આવીને પા! ચાલ્યેા જાય છે. આત્મપ્રગતિનું સ્વરૂપ સમજનાર અહીં સમજી શકો કે આદરેલ પ્રગતિને વળગી રહેવામાં ચીવટ રાખવામાં ન આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy