SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ઘર્ણન ન્યાયથી યથાપ્રવૃત્તિ કરણ કરે છે ત્યારે આયુષ્ય કર્મ ૧ યથાપ્રવૃત્તિ કરણ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં આ પ્રાણી મિથ્યાત્વમાં-અજ્ઞાનદશામાં અનંત કાળ સુધી રહ્યા કરે છે. તે વખતે તેનું સ્વરૂપ જોયું હોય તો રાગ દ્વેષમાં આસક્ત, ધર્મથી વિપરીત વર્તન કરનાર, અનેક પ્રકારની શારીરિક અને માનસિક ઉપાધિઓ સહન કરનાર અને ચારે ગતિમાં રખડનાર હોય છે. કોઈ વખત તે નારક તિર્યંચગતિમાં એકાંત દુઃખ ખમે છે, કઈ વાર દેવગતિમાં સુખ ભોગવ્યાં એમ માને છે, પણ તે એક સ્થાનકે ઠરીને બેસતો નથી અને તેનું સ્વરૂપ જોયું વિચાર્યું કે જાણ્યું હોય તો તે બહુ ખેદ ઉત્પન્ન કરે તેવું હોય છે. આ ગ્રંથમાં ઉપર આપણે તે સ્વરૂપ કાંઇક જોઈ ગયા છીએ. જ્યાં સુધી તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય નહિ, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મની ઓળખાણ પડે નહિ, ઓળખાણ પડ્યા પછી અંત:કરણપૂર્વક તે દેવ ગુરૂ ધર્મને શુદ્ધ સ્વરૂપે આદરે નહિ ત્યાંસુધી તેને કદાચ કોઈ વખત સહજ સુખ જેવું લાગે છે તોપણ અંતે ચક્રભ્રમણમાં તો તેને પડવુંજ પડે છે, તેથી તેવી સ્થિતિને છેડો લાવવા માટે તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરવું જ જોઈએ. આ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે તેણે ઉકાન્તિમાંથી પસાર થવું પડે છે. તે ઉકાન્તિ કેવા પ્રકારની છે તે અત્ર બતાવ્યું છે. સમ્યકત્વ આ જીવનાં સર્વ દુ:ખને છેડો લાવનાર હોવાથી પ્રત્યેક પ્રાણી જે પોતાની આ રખડપટ્ટીની સ્થિતિને છેડો લાવવા ઇચ્છતા હોય તેની પ્રબળ વાંછા સમ્યકત્વ પ્રાપ્ત કરવાની રહેવી જ જોઈએ. એ સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં કર્મની નિવિડ ગાંઠનો ભેદ-છેદ થાય છે તેને ગ્રંથિભેદ કહે છે. એ ગ્રંથિભેદ કરવાની સ્થિતિનો વિચાર જરા વિસ્તારથી કરવા યોગ્ય છે તે આપણે આ પ્રસંગે કરી જઇએ. અંતિમ-છેલ્લા પુગળપરાવર્તમાં મિથ્યાત્વની મંદતા થાય તે વખતે આ પ્રાણી ઓઘ દ્રષ્ટિ મૂકી યુગ દષ્ટિમાં પ્રવેશ કરે છે. એ સંબંધમાં વિશેષ વિચાર * જૈન દષ્ટિએ યોગ' પ્રથમ ભાગના પૃ. ૧૬ થી કરવામાં આવ્યો છે તે પર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે. જૈનને ઉકાન્તિવાદ સમજવા માટે આ સર્વ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે. સાધારણ લોકોની દૃષ્ટિ તજ યોગ દષ્ટિમાં આ પ્રાણી પ્રવેશ કરે છે ત્યારપછી તે આગળ વધતું જાય છે, આત્મવિચારણા, નિયંત્રણ અને યોગ્ય માર્ગ આદરી નીતિને પંથે વિચરી પોતાની યોગ્ય ફરજો અધિકાર, ઇચ્છા અને અનુકુળતા પ્રમાણે બજાવી અનેક ગુણ પ્રાપ્ત કરે છે, વ્યવહારકુશળ અને આત્માથી થાય છે. સમકિત પ્રાપ્ત કરવા પહેલાં જીવ ત્રણ કરણ કરે છે. આ ત્રણ કારણ તે સમ્યકત્વપ્રાપ્તિનાં કારણે છે. વૈરાગ્યવાસનાથી ઉદાસીન વૃત્તિરૂપ પ્રથમ કરણને યથાપ્રવૃત્તિ કરણ નામ આ૫વામાં આવ્યું છે. અહીં પ્રાણીની પ્રવૃત્તિ પૂર્વે હતી તેવી જ રહે છે, તેની અનાદિની ચાલ હોય છે તેમાં ફેરફાર થતો નથી, પરંતુ તેની પ્રગતિ-વિશેષ થયેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર મંદ થતું જાય છે. પ્રાણી કર્મને ફેકી દેવા માટે-દૂર કરવા માટે સકામ અને અકામ નિર્જરા કરે છે. ઇચ્છાપૂર્વક શુભ આત્મસંયમવડે થાય તેને “સકામ નિર્જરા” કહેવામાં આવે છેજેમકે તપસ્યા, વાંચન, ધ્યાન, વિચારપૂર્વક, ઇરાદાપૂર્વક કરવાં તે. ઇમહા વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy