SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] જિદ્ર ભગવાન અને મંદિર પ્રવેશ. વાળા સુવિખ્યાત સુસ્થિત નામના મહારાજા છે એમ પૂર્વે કહ્યું છે તે આ સંસારનગરમાં પરમાત્મા જિનેશ્વર ભગવાન્ સમજવા. તેમના સર્વ કલેશે નાશ પામી ગયેલા હોવાથી, અનંત જ્ઞાન દર્શન વીર્ય યુક્ત હોવાથી તેમજ ઉપમા રહિત સ્વાધીન અતિશય અનંત આનંદસ્વરૂપ હોવાથી વાસ્તવિક રીતે તેજ સુસ્થિત નામને યોગ્ય છે. (સુસ્થિત એટલે સારી રીતે સ્થિત થયેલા, રહેલા). અવિદ્યા (અજ્ઞાન) આદિ કલેશમાં રચી પચી પડેલા બીજા કેઈ પણ સુસ્થિત નામને વેગ્ય નથી, કારણ કે મિથ્યાત્વને લીધે એવા બીજા ખરાબ રીતે (દુસ્થિત) રહેલા છે અને અજ્ઞાન અથવા અલ્પ જ્ઞાન સાથે સુસ્થિતપણું સંપૂર્ણ અંશે કદિ પ્રાપ્ત થતું નથી. એ પ્રભુ સર્વ પ્રાણીઓનું અતિ સૂક્ષ્મપણે રક્ષણ કરવાનો ઉપદેશ આપનારા હોવાથી (અહિંસા પરમ ધમૅનું સ્વરૂપ વિસ્તારથી બતાવનારા હોવાથી) અને મોક્ષ પ્રાપ્ત કરાવી આપે એવો કુશળ સિદ્ધાન્તમાગે ‘આક્ષેપ દ્વારા કહેનારા હોવાથી સ્વાભાવિક રીતે જ તે અત્યંત પ્રેમાળ હૃદયવાળા છે. નર અને દેના નાયક ચક્રવતી અને ઇંદ્રથી પણ તેઓ વધારે પ્રખ્યાત હોવાથી તેમને સુવિખ્યાત કહેવામાં આવ્યા છે, કારણ કે દેવો અને મનુષ્ય પ્રશસ્ત મન વચન કાયાના યુગમાં પ્રવૃત્ત થઈ નિરંતર તેમની સ્તુતિ કરે છે. આ પ્રમાણે હોવાથી સવે જિનેંદ્ર ભગવાન “મહારાજ શબ્દ ધારણ કરવાને યોગ્ય છે. પેલે નિપુણ્યક ભિખારી રખડતો રખડત તે સુસ્થિત મહા રાજાના મંદિર પાસે જેમ તેમ કરીને આવી પહોંચ્યો. દ્વારપાળ અને હવે તે મંદિરના દરવાજા પર સ્વકર્મવિવર નામને મંદિર પ્રવેશ દ્વારપાળ છે. તે દ્વારપાળે અત્યંત કરૂણું ઉપજાવે તેવા આ ભિખારીને જોઈને તેના પર અત્યંત કૃપા કરી અને તેને અપૂર્વ રાજમંદિરમાં દાખલ કર્યો.” આ પ્રમાણે વાત અગાઉ કથાપ્રસંગમાં ત્યારપછી કહેવામાં આવી છે તેની આ પ્રમાણે ભેજના કરવીઃ કેઇ વખત આ જીવ ઘર્ષણ ૧ અહીં મૂળ કથાશરીર પુષ્ટ ૧૮ જુઓ. એ પારિગ્રાફ સાથે આ ઉપનયને સંબંધ છે. ૨ આક્ષેપથી ઉપદેશ આપવાની પદ્ધતિ ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પથમથીજ સ્વીકારી છે. સંકીર્ણ કથાને અંગે શરૂઆતમાં આ વાત કરી છે. જુઓ પૃષ્ઠ. ૭ ૩ નદીમાં અથવા સમુદ્રમાં પથ્થર એક બીજા સાથે અથડાઈ પછડાઈને તદન ગોળ બની જાય છે. એવા પથ્થરને જો હોય તો એમ લાગે કે તેને ગોળ બના. વતાં ઘણું મહેનત પડી હશે, પણ તે અથડાઈ કુટાઈને જ એવી સ્થિતિએ પહોંચેલ હોય છે. એને “ઘર્ષણઘણેનન્યાય કહેવામાં આવે છે. આ પ્રાણી પણ સંસા૨માં રખડતો અથડાતો ફટાતો આગળ જણાવેલી સ્થિતિ પ્રાપ્ત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy