SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] આશા લોલુપતા અને અતૃપ્તિ. કર્યો છે એટલે અનંત પુદુગળપરાવર્ત જેટલો કાળ સંસારમાં રખડયો છે. “એ મહા દુર્ભાગી જીવને (તે નગરમાં) એવી રીતે રખડતાં રખડતાં કેટલે કાળ ગયો તેની પણ ખબર પડતી નથી” એમ અગાઉ કહ્યું છે. આ જીવના સંબંધમાં પણ તે બરાબર સમજી લેવું એટલે કે આ સંસારમાં તે કેટલે કાળ રખડ્યો તેનો નિર્ણય થઈ શકે એમ નથી, કારણ કે કાળની આદિ-શરૂઆત ન હોવાથી તેની હદ બાંધવી અશક્ય છે. આવી રીતે મારે રાંક જીવ આ સંસારનગરમાં ભાઠા સંકલ્પ વિકલ્પ, સાચી ખોટી દલીલો અને ખોટાં દર્શનેરૂપ તોફાની છોકરાઓનાં ટેળાંથી દરેક ક્ષણે તત્ત્વ સમ્મુખ સુંદર શરીર પર ભ્રાંતિ (મિથ્યાત્વ)રૂપ માર ખાતો હોવાથી મહામહ વિગેરે રોગવાળા શરીરવાળે થઈ ગયો છે અને તેવા ખરાબ વ્યાધિઓને તાબે થઈને નરક વિગેરે સ્થાનમાં અત્યંત પીડા સહન કરવાથી સ્વરૂપભ્રષ્ટ થઈ ગયો છે. તેની આવી સ્થિતિ થઈ ગયેલી હોવાથી જે પ્રાણુંઓનાં ચિત્ત વિવેકબુદ્ધિથી નિર્મળ થયેલાં છે તેમને તેના પર અત્યંત દયા આવે છે. આટલું છતાં આગળ પાછળનો વિચાર તે નહિ કરતો હોવાથી તબોધ (સમ્યજ્ઞાન)થી બહુ છેટે રહે છે. આ સર્વ બાબતોને લીધે તે લગભગ સર્વ જીવોથી અધમ-હલકો છે અને એવી સ્થિતિનો તે થઈ ગયેલો હોવાથી ધન વિષય સ્ત્રી પુત્રાદિ પ્રાપ્ત કરવાની ખોટી આશારૂપ તુચ્છ ભોજનને લોલુપ થઈ કદાચ જરા તુચ્છ ભોજન મળે તો તેથી કાંઈક સંતેષ (તૃપ્તિ) પામી જાય છે, પણ તે તૃપ્તિ ટકતી નથી તેથી કદિ પણ તે ધરાતો નથી અને તેવી સર્વ બાહ્ય વસ્તુઓ કેમ વધારે પ્રમાણે હોવાથી પુદગળપરાવર્તની હકીક્ત ખાસ સમજવા યોગ્ય છે. એના પર વિસ્તારથી નેટ અધ્યાત્મક૯૫દ્રમના દશમાં પ્રસ્તાવની સાતમી ગાથામાં આપવામાં આવી છે તે વાંચવાથી જણાશે કે તેના બાદર અને સૂમ એવા બે વિભાગ પાડી તે પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની યોજના કરી દરેક ૫ર સૂક્ષ્મ અને બાદર પરાવર્તની ગોઠવણ બતાવવામાં આવી છે, બધી રીતે વિચારતાં બહુ લાંબે કાળ દરેક પુગળાવર્ત લે છે એમ જણાઈ આવે છે અને એ કાળ એટલો લાંબો છે કે તેનો વિચાર કરતાં આ દુ:ખનો છેડો કઈ પણ રીતે લાવવો જોઈએ એમ સહજ વિચાર આવ્યા વગર રહેતો નથી. પુદગળપરાવતે સંબંધી હકીકત બરાબર સ્પષ્ટ રીતે સમજવાની ખાસ જરૂર છે. એ સંબંધી વધારે હકીકત વિસ્તારપૂર્વક શ્રીપ્રવચનસારદાર ગ્રંથમાં બતાવવામાં આવી છે. ( જુઓ પ્રકરણ રત્નાકર ત્રીજો ભાગ પૃ. ૪૧૧. સહેલથી વાંચી શકાય તે સારૂ અધ્યાત્મકલ્પદ્રુમની મારી નોટ પરિશિષ્ટમાં ઉતારી લીધી છે. જુઓ પરિશિષ્ટ ૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy