SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ આવી છે તે બરાબર મારા જીવના સંબંધમાં મળતી આવે છે; કારણ કે કાળની આદિ નહિ હોવાથી આ જીવે પણ અનંત પુગળપરાવર્તા S9 અ સમય મંધી હકીકત ખાસ સમજવા યોગ્ય છે. અસંખ્ય વોંએ એક “૫૯૫મ” થાય છે. એને સામાન્ય ખ્યાલ આપવા માટે ચાર ગાઉ લાંબે, ચાર ગાઉ પહોળો અને ચાર ગાઉ ઊડે ખાડો કલ્પી તેમાં યુગળીઆને બારીક વાળના નાનામાં નાના ટુકડાઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે અને તેમાંથી સો સે વર્ષે એક એક વાળ કાઢતાં ખાડો પૂરો થાય ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ” થાય છે. તે વાળના ટુકડાને અસંખ્યાત ગુણું કલ્પી પછી સે સે વર્ષે એકેક ટુકડો કાઢતાં તે ખાલી થાય ત્યારે “સૂમ અધા પલ્યોપમ” થાય છે અને એવા દશ કોડાકડિ પલ્યોપમે એક સૂક્ષ્મ અધ્ધા સાગરેપમ થાય છે. સાગરોપમનું વિશેષ સ્વરૂપ ચેથા કર્મગ્રંથમાં તેમજ લોકપ્રકાશ વિગેરેમાં બતાવવામાં આવ્યું છે તે જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા એગ્ય છે. આવા દશ કટાકેટિ સાગરોપમને એક ઉત્સર્પિણ અને દશ કટાકેટિ સાગરોપમને એક અવસર્પિણ કાળ થાય છે. (કેટકેટિ અથવા કડાકડિ એટલે કરેડને કરડે ગુણીએ તેટલા મતલબ કે એકડા ઉપર સોળ મીંડાં ચઢાવવાથી કોડાકડિ થાય છે.) અવસર્પિણી કાળના છ આરા હોય છે. ભારત ને ઐરાવત ક્ષેત્રમાં પહેલા ત્રણ આરામાં જુગલીઆ હોય છે, જેને કલ્પવૃક્ષ સર્વ વસ્તુઓ પૂરી પાડે છે અને ઉપાધિવ્યવહાર કોઈ પ્રકાર હોતો નથી. ચેથા આરામાં દુઃખ થવા માંડે છે, પણ ત્રીજા આરાના પ્રાંત ભાગથી ચેથા આરાના પ્રાંત ભાગ સુધીમાં ચોવીશ તીર્થંકર થાય છે. પાંચમા આરામાં પાછો મોક્ષમાર્ગ બંધ થાય છે, પણ ધર્મ રહે છે અને છઠ્ઠા આરામાં તે ધર્મને પણ લેપ થાય છે. આવા અસાર્પણ કાળનો પ્રથમ આરે ચાર કડાકડિ સાગરોપમને, બીજો ત્રણ કલાકેડિ સાગરોપમને, ત્રીજે બે કલાકેડિ સાગરોપમને અને ચોથે બેંતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકડિ સાગરોપમનો અને પાંચમો તથા છઠ્ઠો દરેક એકવીશ હજાર વર્ષના હોય છે. એવી રીતે દશ કોડાકડિ સાગરોપમથી એક “અવસર્પિણી કાળ” થાય છે. તેમાં ક્રમે દુઃખ વંધતું જાય છે અને સ્થિતિ સર્વ બાબતમાં વધારે વધારે ખરાબ થતી જાય છે. ઉત્સર્પિણ કાળ પણ એવી રીતે દશ કડાકડિ સાગરોપમને હોય છે, પણ એમાં સ્થિતિ સુધરતી જાય છે, તેથી એની સ્થિતિ અવસર્પિણીના પ્રત્યેક આરાથી ઉલટી સમજવી એટલે ઉત્સર્પિણીના પ્રથમ આરાની સ્થિતિ એકવીશ હજાર વર્ષની, બીજાની એકવીશ હજાર વર્ષની, ત્રીજાની બેતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકડિ સાગરોપમની, ચોથ, પાંચમા અને છઠા આરાની સ્થિતિ અનુક્રમે બે, ત્રણ અને ચાર કડાકડિ સાગરોપમની હોય છે. તેના ત્રીજા આરામાં ૨૩ અને ચોથા આરાના પ્રારંભમાં ૧ એમ ૨૪ તીર્થંકરો થાય છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી બે મળીને એક કાળચક કહેવાય છે. આવાં અનંત કાળચક્ર આ પ્રાણીએ કર્યા. પુગળપરાવર્તન કાળનું જ્ઞાન બહુ ઉપયોગી છે, કારણ કે આ પ્રાણીઓ અનંત પુદગળપરાવર્ત કર્યો છે. વળી એને છેલ્લા પુદુગળપરાવર્તમાં મોટે ફેરફાર થાય છે જે પ્રગતિ અંગે અન્યત્ર વિચારેલ છે. (જુઓ જૈન દષ્ટિએ યોગ પૃ. ૧૭ પ્રથમ વિભાગ). આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy