SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ જ્યારે આ પ્રાણી પશુભાવ ( તિર્યંચગતિમાં) અથવા નરકવસ્થા ધારણ કરતો હોય છે ત્યારે તેને ભિખારીની ઉપમા વધારે બંધબેસતી આવે છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે ભિખારીની ઉપમાથી પણ આગળ વધી જાય છે; કારણ કે અનેક પ્રકારની મોટી ઋદ્ધિસિદ્ધિવાળા, અતિ આકર્ષક તેજ કાંતિવાળા, અતિ ઉચ્ચ પ્રકારનાં પાંચ ઇંદ્રિનાં અનેક પ્રકારનાં સુખ જોગવવાને યોગ્ય અને ઘણી લાંબી સ્થિતિ સુધી સુખી કહેવાતી અવસ્થામાં રહેનારા શક વિગેરે દેવતાઓ પણ જે સમ્યમ્ દર્શનરૂપ રત્નથી રહિત હોય તો વિવેકરૂપ ધનવાળા મહર્ષિઓની નજરમાં તો મહાદરિદ્રતાની મૂર્તિ જેવા અને વિજળી જેવા ચપળ જીવિતવ્યવાળા લાગે છે તે પછી સંસારના પેટામાં રહેનારા બીજા જીવોના સંબંધમાં તે શું કહેવું? સાધારણ દષ્ટિએ દેવતાઓનો અને ખાસ કરીને ઇંદ્રનો વૈભવ બહુ બહુ વખત રહેનાર અને આકર્ષક લાગે છે તેવું સુખ ભેગવનાર પણ જ્ઞાનીની નજરે તદ્દન સાચી રીતે ભિખારી અને ચપળ લાગે છે, ત્યારે પછી સાધારણ જીવન માટે મજુરી કરનાર મનુષ્યો, મુંગે માર ખાનારા પશુઓ અથવા એકાંત દુઃખ સહન કરનારા નારકે તો તેઓને કેવા લાગતા હશે તેને ખ્યાલ કરી લેવો! લેઓએ તેને તિરસ્કારથી આપેલું ઉભેજન ખાતાં ખાતાં જેમ પેલો ભિખારી મનમાં શંકા રાખતો હતો કે કદાચ ધનીના કુ. કેઈ બળવાનું પ્રાણી તે ભેજન લઈ જશે તે વિકલ્પ. પ્રમાણે મહામેહમાં પડી ગયેલો આ પ્રાણી ધન, સ્ત્રી કે બીજો તેને માની લીધેલ વૈભવ જેને પ્રાપ્ત કરવા માટે તેણે અત્યંત કલેશ સહન કરેલ હોય છે તેને ભગવતી વખતે મનમાં બહુ ભય રાખ્યા કરે છે તે ચોરથી બીહે છે, રાજાથી ત્રાસ પામે છે, પિત્રાઈઓ તરફના ભયથી ધ્રુજે છે, ભિખ માગનારના વિચારથી ઉદ્વેગ પામે છે, વધારે તે વાત શું કરવી પણ અત્યંત નિઃસ્પૃહ મુનિ મહારાજાએથી પણ શંકા રાખ્યા કરે છે. એ બાપડે એમ સમજે છે કે આ મુનિ મહારાજાએ મને ઉપદેશ આપી, ઉપર ઉપરથી મીઠી લાગતી વાતોથી મને આંજી દઈ અથવા મને છેતરીને મારી પાસેથી પૈસા લુંટી લેવા અથવા ઉડાવી દેવરાવવા ઈચ્છા રાખે છે. આવા આવા કુવિચારના ઝેરથી મૂછમાં પડી જઈ તે બાપ વિકલ્પ કરે છે કે અરે! મારી માલ મિલ્કત અગ્નિથી બળી જશે, અથવા પાણીના પ્રવાહમાં તણાઈ જશે અથવા ચોરોથી ચોરાઈ જશે, માટે એને સુરક્ષિત કરવી જોઈએ. પછી કાઈના ઉપર વિશ્વાસ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy