SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ]. રસિકની ધન માટે ધમાલ. ૭૫ તરફ આકર્ષણ કરે છે, સર્વ પ્રકારની કળાઓનો અભ્યાસ કરે છે, વધારે શું કહેવું? ટુંકામાં કહીએ તો ધન મેળવવા ખાતર એવું કઈ કામ નથી કે જે તે ન કરતો હોય, એવું કેઈ વચન નથી કે જે તે બોલતો ન હોય, એવો કોઈ વિચાર નથી કે જે તે પિતાના વિચારપથમાં લેતે ન હોય; આવી રીતે પૈસાની ખાતર અહીંથી તહીં અને તહીંથી અહીં ભમ્યા કરે છે, રખડ્યા કરે છે, દોડાદોડ કર્યા કરે છે, છતાં તેની પાસે પૂર્વ ભવનાં પુણ્યનો જથશે નહિ હોવાથી તેની ઈચ્છા જેટલું પ્રાપ્ત કરવાની હોય છે તેના પ્રમાણમાં તેને તલના ફેતરાનો ત્રીજો ભાગ પણ મળતો નથી, માત્ર આથી કરીને તેના ચિત્તમાં મોટે સંતાપ નિરંતર રહ્યા કરે છે અને તેને લઈને તેને કર્મને મોટે ભારે મળે છે, જેના પરિણામે પિતાની દુર્ગતિમાં જવા યોગ્ય સ્થિતિમાં તે અત્યંત વધારો કરે છે. કદાચ પૂર્વ પુણ્યનો જરા ઉદય થઈ આવે અને તેથી જે વખતે તેને હજાર કે લાખ રૂપિઆની પ્રાપ્તિ થઈ જાય અને વાસ્તવિક થવા પ્રેમ રાખનારી સ્ત્રી, સુંદર શરીર અથવા વિનયી ભિખારીપણું કુટુંબ પરિવાર મળી જાય અથવા તે તેને ધાન્યને સંગ્રહ અથવા થોડાં ગામોનું સ્વામીપણું અથવા નાનું સરખું રાજ્ય મળી જાય તે પછી જેમ પેલા દરિદ્રીને જરા તુચ્છ કુજન મળતું હતું તે વખતે તેના લાભથી તે રાજી રાજી થઈ જતો હતો તેમ આ જીવને મદ (અહંકાર)રૂપ સપાત થઈ જાય છે અને ત્યારે તે એ મી જાશમાં આવી જાય છે કે ત્યારપછી કઈ તેને કાંઇ વિનતિ કરે તો તે સાંભળતો નથી, બીજા લોકેની સામે નજર પણ કરતા નથી, પોતાની ડેક જરા પણ નમાવત નથી, મીઠાં વચન બોલતો નથી, હેત કે કારણ વગર દુમમાં ને દમમાં આંખ મીંચે છે અને વૃદ્ધ વડિલોનું પણ અપમાન કરે છે. આવી રીતે અતિ હલકા અભિપ્રાયથી જેનું મૂળ સ્વરૂપ નાશ પામી ગયું છે એ આ જીવ જ્ઞાનરલથી પરિપૂર્ણ મહાત્મા ભગવાન્ મુનીશ્વરોને અતિ ક્ષુદ્ર દરિદ્રીથી પણ વધારે અધમ લાગે તેમાં નવાઈ શું છે? સાધારણ વસ્તુને મોટી માનનાર, અલ્પસ્થાયી વસ્તુની વાસ્તવિક કિંમત નહિ સમજનાર, પરવસ્તુની પ્રાપ્તિના અહંકારમાં ઉદ્ધત થઈ અધર ચાલનાર આ જીવને જ્ઞાની મહાત્માઓ યથા સ્વરૂપમાં દેખે છે અને તેની મૂર્ખતા પર વિચાર કરી તેને આત્મદ્રવ્યને અંગે ભિખારી જે ગણે છે તે તદ્દન યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy