SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ થઈ પડે છે. ધનપ્રાપ્તિ માટે કઈ વખત પર્વતની ગુફાઓમાં ભમે છે, રાક્ષસોની ગુફાઓમાં જાય છે, રસકૂપિકા' શોધે છે અને તે વખતે (કૂપિકાનું) રક્ષણ કરનાર રાક્ષસો તેનું પિતાનું જ ભક્ષણ કરી જાય છે. વળી કોઈ વાર મેટું સાહસ ઉપાડે છે, રાત્રે મશાનમાં જાય છે, મરેલાં મનુષ્યનાં શરીર (મડદાંઓ)ને ઉઠાવે છે, તેનું માંસ ચુંથે છે, ભયંકર વૈતાળાની સાધના કરે છે અને સાધનામાં કાંઈ ભૂલચૂક થતાં તે વૈતાળ તેના પરજ ગુસ્સે થઈ આખરે તેને મારી નાખે છે. કેઈ વાર ખન્યવાદને અભ્યાસ કરે છે, એના વડે જે જમીનમાં ભંડારે દટાયેલા હોય તેના લક્ષણે જુએ છે, તેમ કરતાં કઈ જગે એ નિધાન મળી જાય તો તે દેખવાથી રાજી રાજી થઈ જાય છે, તેને ગ્રહણ કરવા માટે રાત્રિએ જીવોનું બલિદાન આપે છે અને એવી રીતે બેળિદાન આપીને બહાર કાઢેલા નિધાનના વાસણમાં પાછા કેલસા જોઈને અત્યંત ખેદ પામે છે. વળી આ જીવ કઈ વખત ધાતુવાદને અભ્યાસ કરે છે, ધાતુવાદ જાણનારની સેવા ઉઠાવે છે, તે જે કાંઇ કહે છે તે માન્ય રાખે છે, અનેક જાતની જડીબુટ્ટીઓ એકઠી કરે છે, ધાતુની માટી લઈ આવે છે, પારાને નજીક લાવી રાખે છે, તે પારાને ગરમ કરો, ઉડાવ અને મારો-એ સર્વે કામમાં રાત દિવસ અનેક પ્રકારે ખેદ પામે છે, અહોરાત્ર તેને ધમે છે, દરેક ક્ષણે તેને ફેંકે છે, પીળા કે સફેત રંગની જરા પણ સિદ્ધિ થવાના દેખાવથી જાણે હવે તેનું કે રૂપું જરૂર થઈ જશે એવા વિચારથી રાજી રાજી થઈ જાય છે, દરરોજ આશાના લાડવા ખાધા કરે છે, પોતાની પાસે ભેડા ઘણું પૈસા હોય છે તે પણ આવી સિદ્ધિઓ મેળવવાની ખાતર ખરાબ કરે છે અને આખરે કઇ પણ પ્રકારની સિદ્ધિ ન થવાથી નિરાશ થઈને મરણ પામે છે. વળી આ પ્રાણી પિતાને વિષયભોગ પ્રાપ્ત થઈ શકે તેટલા સારુ પૈસા મેળવવાની ઈચ્છા કરે છે અને તેને માટે ચેરી ભાગ સારું છે- કરે છે, જુગટું રમે છે, જક્ષણીની આરાધના કરે છે, નની શોધમાં. મંત્રોનો જાપ કરે છે, તિષની ગણતરી કરે છે, નિમિત્તને વેગ મેળવે છે, લોકોનાં ચિત્તનું પિતા ૧ એના રસથી લેઢાનું સેનું થઈ જાય છે એવી માન્યતા હતી. ૨ Minerology. જમીનમાં કઈ જગ્યાએ કઈ ધાતુ નીકળશે તે. ભૂસ્તરવિદ્યા (Geology) નો પણ આ ખન્યવાદમાં સમાવેશ થાય છે. ૩ Metallurgy. ધાતુને ખાસ અભ્યાસ એ પણ ભુસ્તરવિદ્યાને એક વિભાગ છે. ૪ જેમકે તે જમતુરી વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy