SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] રસિકની સેવાઓ-વ્યાપારે. ૭૩ વળી આવા આવા વિચારોથી હેરાન થઈને તેવી વસ્તુઓ પ્રાપ્ત કરવાના ઇરાદાથી તે રાજસેવા ઉઠાવે છે, રાજાની રાજસેવા અને ઉપાસના (ચાકરી) કરે છે, તેના તરફ વિનય બને ધનપ્રાપ્તિ. તાવે છે, તેને અનુકૂળ લાગે તેવું બોલે છે, તેની ખુશામત કરે છે, પોતે દિલગીરીમાં હોય તે પણ તે રાજાને હસતે દેખીને પિતે હસે છે, પોતાને ઘરે પુત્રજન્મ થ. વાથી ઘણો આનંદ થતો હોય ત્યારે પણ રાજાને રડતો જોઈને પોતે પણ રડવા લાગી જાય છે, રાજાના માનીતા લોકો પોતાના દુશમન હોય તો પણ તેનાં વખાણ કરે છે, રાજાના દુશમનો પોતાના ઇષ્ટ મિત્ર હોય તો પણ તેની નિંદા કરે છે, રાજાની આગળ રાત દિવસ દોડે છે, પિતે તદ્દન થાકી ગયો હોય તોપણ રાજાના પગ ચાંપવા બેસી જાય છે, રાજાનાં અપવિત્ર સ્થાને પિતાને હાથે ધુએ છે, રાજાની આજ્ઞાથી ગમે તેવું હલકું કામ ઉપાડી લે છે, યમનાં હો જેવા રણમેદાનમાં જાતે પ્રવેશ કરે છે, તરવાર ભાલાના ઘા સહન કરવા માટે પોતાની છાતી આગળ ધરે છે અને ધનની ઈચ્છાવાળે આ રાંક જીવ આવી રીતે દુઃખ ભોગવીને પોતાની ધનપ્રાપ્તિ વિગેરેની ઈચ્છા પૂરી થયા અગાઉજ મરણ પામે છે. વળી આ જીવ કઈ વખત ખેતી કરવાનો આરંભ કરે છે ત્યાં રાત દિવસ હેરાન થાય છે, હળ જડે છે, જંગખેતી. લમાં રહીને પશુની જીંદગીને અનુભવ કરે છે એ ટલે જાણે પિતેજ પશુ હોય તેવી જિંદગી વહન કરે છે, નાના પ્રકારના સંખ્યાબંધ નો ઘાત કરે છે, વરસાદ ન થાય તો સંતાપ પામે છે અને બીજાને નાશ થઈ જાય તો દુઃખી થાય છે. વળી આ પ્રાણી કઈ વખત વેપાર કરે છે તો તેમાં સાચું ખોટું બેલે છે, વિશ્વાસુ અને ભોળા લોકોને ઠગે છે, પરવ્યાપારાદિ. દેશ જાય છે, ઠંડીની પીડા સહન કરે છે, ઉનાળાની ગરમી ખમે છે, ભૂખ વેઠે છે, તરસની બાબતમાં બેદરકાર રહે છે, અનેક પ્રકારના ત્રાસ અને પરિશ્રમથી થતાં સંકો દુ:ખ અનુભવે છે. ધનપ્રાપ્તિ માટે મોટા સમુદ્રની સફર કરે છે, વહાણ ભાંગી જવાથી અથવા ડૂબી જવાથી પોતે નાશ પામવાની સ્થિતિ પર આવી જાય છે અને પોતે પાણીમાં રહેનારા જીવોનું ભક્ષ્ય ૧ લઘુશંકા, વડીશંકા કરવાના સ્થાને-જગાઓ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy