SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] ધનાસતની ચેષ્ટાઓ. ৩৩ હોવાથી કોઈની મદદ વગર રાત્રિએ ઉઠીને તે એકલો જમીનમાં બહુ ઉડે ખાડો ખોદે છે, ધીમે પગલે ચાલીને જરા પણ ઘરમાં સંચાર થતો હોય તો તેને છુપાવી દઈને પિતાની પુંજી ખાડામાં ધીમે રહીને મૂકે છે, પછી ખાડે પૂરી દઈને જમીનના તળીઆને સરખું કરે છે, તેના ઉપર ધૂળ કચરો વિગેરે નાખે છે, તેને તદ્દન ન ઓળખી-પારખી શકાય તેવું બનાવે છે, વળી તે ધન દાટેલ સ્થાન કદાચ પોતે પણ ભૂલી જાય તે મોટો ગોટાળો થઈ જાય તેથી અનેક પ્રકારનાં ચિહ્નો (એંધાણે) રાખી મૂકે છે (જેને લઈને અમુક જગાએ પોતે ધન દાટ્યું છે એમ જાણી શકાય), કઈ કામ સારૂ આવેલ બહારને કઈ માણસ જે વિભાગમાં પિતે ધન દાટ્યું હોય તે તરફ અથવા ત્યાં જાય આવે છે તો તેને વારંવાર જોયા કરે છે, તે પ્રદેશ ઉપરજ પેલા માણસની વારંવાર નજર પડતી જોઈને આ ભાઇશ્રીને શંકા થાય છે કે જરૂર પિતે ઘન ઘરમાં કઈ જગાએ દાઢ્યું છે તેની આ માણસને ખબર પડી ગઈ છે, આવા વિચારથી ગભરાઈ જઈ રાત્રે ઉંઘી પણ શકતો નથી, ચિંતામાં તેની ઉંઘ ઉડી જાય છે, વળી ચિંતામાં ને ચિંતામાં રાત્રે ઉઠીને પાછે ખાડે ખેદે છે, તેમાં દાટેલ ધનને બહાર કાઢે છે અને બીજી જગે પર તેને મૂકે છે અને બીકમાં ચોતરફ પિતાની નજર નાખતે આમતેમ ભયમાં જોયા કરે છે, રખે કઈ પિતાને જોઈ જશે એવા ભયથી પિતે હાલવા ચાલવાની ક્રિયા કરે છે તે પણ શરીર માત્રથી જ કરે છે, પણ તેનું મન તો પેલા ધનના બંધનમાં એવું બંધાઈ ગયેલું હોય છે કે તે સ્થાનથી એક ડગલું પણ આગળ પાછળ જતું નથી. આવી રીતે હજારે પ્રયત્નોથી જાળવી રાખેલું ધન કઈ વખત કઈ જોઈ જાય અને પછી લઈ જાય છે તે વખતે અકાળે જાણે તેને વજન ઘા લાગ્યું હોય નહિ એવો તે થઈ જઈ “હે ભાઈ! હે મા ! હે બાપ! એવા એવા નિ:શ્વાસના શબ્દો બોલી દયાળુ મામુસોની લાગણી ઉશ્કેરે છે, અથવા અત્યંત મૂછરૂપ વાઘણે તેનો નાશ કરેલો હોવાથી કેઇ વખત ધનનાશના આઘાતથી તે મરણ પણુ પામે છે. આ પ્રમાણે લેશ માત્ર ધનમાં આસક્ત પ્રાણીઓ પિતાનું વર્તન કેવા પ્રકારનું રાખે છે તેની ચેષ્ટાઓનું સંક્ષેપમાં દિગદર્શન કરી બતાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy