SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ એ સ્વસ્થ નથી એનો અર્થ એ કે એ પોતાના કેન્દ્રમાં નથી; અહંની તૃપ્તિ માટે એ જ્યાંત્યાં બહાર ભટકે છે. આ અહંની વ્યાખ્યા આપવી કઠિન છે. એ વ્યાખ્યાનો વિષય નથી, છતાં એમ કહી શકાય કે જે નથી છતાં અનુભવાય છે તે અહં દ્વારા વસ્તુ ન હોય છતાં જણાય. વસ્તરૂપે ન હોય છતાં વસ્તુનો. ભાસ થાય – દેખાય, જેમ કે ખારાપાટમાં કોઈ અજાણ મુસાફર મુસાફરી કરી રહ્યો હોય અને એને પાણીની તરસ લાગે અને જુએ તો દૂર દૂર પાણીનું સરોવર દેખાય. ધારી ધારીને જુએ તો પાણીના રેલા પણ વહેતા દેખાય. એ પોતાની ગતિ પ્રમાણે ઝડપથી ચાલે પણ જેમ જેમ એ આગળ જાય તેમ તેમ એ સરોવર દૂર ને દૂર જતું દેખાય, સરોવર નજીક આવવાને બદલે દૂર જતું જોવામાં આવે છે. વસ્તુસ્થિતિ એ છે કે સરોવર નથી; ત્યાં પાણી પણ નથી; પણ સરોવર અને પાણીનો માત્ર આભાસ છે. પાણી ન હોવા છતાં પાણીનું દર્શન થાય છે. એ દર્શન માત્ર ઝાંઝવાનાં જળનું છે, મૃગજળનું છે. “અહં'ના વિષયમાં પણ માણસો આ સ્થિતિનો જ ભોગ બન્યા છે. જે અહમ્ નથી, તેનું દર્શન થઈ રહ્યું છે. ધૃવરૂપે એ વસ્તુ નથી, તેમ છતાં ભ્રમરૂપે તે છે. હકીકતરૂપે નહિ હોવા છતાં વસ્તુ દેખાય છે ! કમળાના રોગીને શંખ અને ચંદ્ર જેવી સફેદ વસ્તુઓમાં પણ પીળો રંગ દેખાય છે તે માત્ર આભાસ છે. સાચું નથી છતાં દેખાય તો છે જ. શરીર અને પ્રકૃતિને જ્યારે એવો અનુભવ થાય; અર્થાત્ જે વસ્તુ જે રૂપે નથી તે વસ્તુ તે રૂપે દેખાય, ત્યારે ત્યાં જોશો તો જણાશે કે અહં કામ કરતું હોય છે. અહિં વિશેની વધુ કરુણતા તો એ છે કે માનવી તેના લીધે પરિતૃપ્ત થવાને બદલે શુધિત અને ક્ષુબ્ધ થતો જાય છે. ઝાંઝવાનાં જળ પાછળ જેટલા પ્રમાણમાં વધુ દોડો તેટલા પ્રમાણમાં તે વધુ ને વધુ દૂર થતું જોવામાં આવે છે. આ સંસારે એવા કોઈ પણ માનવીને જોયો નથી જે પોતાના અહંને પૂર્ણ તૃપ્ત કરી શક્યો હોય. એક સામાન્ય માનવી શેઠને ત્યાં નોકરી કરતાં કરતાં પોતે જ મોટો શેઠ થઈ જાય; તેનાં સ્વપ્નો સાકાર બને અને શેઠમાંથી મિલનો માલિક થઈ જાય. અને તમે તેની આ સફળતા માટે ધન્યવાદ આપવા જાઓ તો તમને કહેશે : “એક મિલમાં તે શું ? હું કાંઈ મોટો ઉદ્યોગપતિ હજુ ન ગણાઉં.” આવા માણસ આગળ સંતોષની વાત પણ ન થાય, કારણ કે એ તો જે નથી તેને પકડવા નીકળ્યો છે; અહંની જ સાધના કરી રહ્યો છે; અહંની અતૃપ્તિના કારણે તેનું માનસિક વલણ જુદું છે. વિશ્વકવિઓમાં જેનું શ્રેષ્ઠ નામ છે એવા શ્રી રવીન્દ્રનાથ ટાગોરનું નામ તો આપ જાણો જ છો. તેમણે પોતાની એક અનુભવકથા લખી છે. ભારે પૂર્ણિમા પાછી ઊગી ! * ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy