SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મઝાની છે આ નાની કથા ! એ લખે છેઃ શરદપૂનમની રાત હતી. ઘરમાં હું એકલો જ હતો. એક આધ્યાત્મિક પુસ્તક વાંચતો હતો. વાંચતાં વાંચતાં થાકી ગયો, એટલે થોડી ક્ષણો માટે મેં આંખો બંધ કરી, પણ લાઇટ ચાલુ હતી. આંખને આરામ આપવા માટે મેં Switch off કરી પણ ત્યાં તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પૂનમના ચંદ્રમાંથી પ્રકાશની રેલી વહી રહી હતી ! રૂમમાં જ્યાં સુધી ઇલેક્ટ્રિક લાઇટનો પ્રકાશ હતો, ત્યાં સુધી આ સુંદર ચાંદનીના પ્રકાશનો અનુભવ જ ન થયો. પણ જેવો એ કૃત્રિમ પ્રકાશ બંધ થયો કે નૈસર્ગિક પ્રકાશ મારા ઓરડાને, મારા તનને, મારા પ્રાણોને ભરી રહ્યો. આવી મધુર ઉજ્જ્વલ સુંદર ચાંદની અત્યાર સુધી મને દેખાઈ કેમ નહિ ? કારણ કે ઇલેક્ટ્રિક લાઇટ માર્ગમાં અવરોધ કરતી હતી. બનાવટી પ્રકાશ નૈસર્ગિક પ્રકાશના અનુભવને રોકતો હતો. માણસમાં રહેલો અહં પણ તે જ રીતે પરમાત્માના પ્રકાશને રોકે છે. આપણામાં રહેલું અહં પણ પેલી ઇલેક્ટ્રિક લાઇટના પ્રકાશ જેવું છે. સોહમ્ને અવરોધે છે. તે આપણને પરમાત્માનો અનુભવ નથી થવા દેતું. જેમ ઇલેક્ટ્રિક લાઇટનો પ્રકાશ બંધ થતાં નૈસર્ગિક પ્રકાશનો અનુભવ થયો તેમ અહંનો નાશ થાય તો જ માનવીને પ૨માત્માની જ્યોતિનો લાભ મળી શકે ! આ અહં માણસની સાથે જ છે. એ યાત્રાએ જાય કે પૂજા કરે, પણ અહં તો સાથેનું સાથે જ. આ અહં તો દાન આપતી વખતે પણ કામ કરતું હોય છે. નામની તકતી અને સંસ્થા સાથે નામ જોડવાની શરતોનો મોહ કેવો તીવ્ર હોય છે ? અહં એક જાતનો મેલ છે. એ મેલ ઊતરે તો શરીર જેમ સ્વચ્છ થાય અને આનંદ અનુભવાય, તેમ અહંના મેલથી માણસ મુક્ત થાય તો જ તે સુખનો અનુભવ કરી શકે. દાન દેતાં અહં ગળી જાય તો દિલ પ્રેમમાં ઓગળી જાય અને આંખમાંથી હર્ષાશ્રુ વહે, શરીરમાં રોમાંચ થાય અને વિચાર આવે કે, અહો ! મેં ખાસ કંઈ આપ્યું નથી, પણ આત્મા માટે પ્રાપ્ત કર્યું છે. આજે તો વ્યાખ્યાનકાર પણ સારું વ્યાખ્યાન આપી આડકતરી રીતે શ્રોતાજનોને પૂછે : “કેમ ? આજનું વ્યાખ્યાન હૃદયમાં સીધું ઊતરી જાય એવું હતું ને ?'' અને આમ પ્રવચનકાર પોતાનામાં રહેલા અહંને પોષે છે. વ્યાખ્યાન વખતે પણ શ્રોતાજનો બોલતા હોય છે : “જી, સાહેબ ! વાહ, પ્રભુ !' આમ લોકો તેનાં વખાણ કરે, પાનો ચઢાવે, અહંને વધારે તો તેને ગમે. લોકો પાસેથી તેને appreciation પ્રશંસા મેળવવી છે ! અહં સ્વથી સંતુષ્ટ નથી. પરથી પુષ્ટ છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાનશાસ્ત્રી આઇન્સ્ટાઈન સત્યના સંશોધન અને પ્રયોગોમાં એટલા એકચિત્ત હતા કે એક વખત સતત દોઢ મહિના સુધી તે દાઢી કરવાનું Jain Education International - ૯૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy