SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ભુલાઈ રહી છે ! આપણે વિચારવાનું છે કે માણસનું જીવન પરમ શાંતિની શોધ માટે છે, માણસની જીવનયાત્રા તે પૂર્ણ પ્રતિ પ્રયાણ છે. માણસથી આ ન બની શકે, કે માણસાઈનો પૂર્ણ અનુભવ ન મેળવી શકાય, તો હું તમને કહીશ કે જીવન નિરર્થક છે – એકસો ને એક ટકા નિરર્થક છે. જિંદગીનો વિજય શેના ઉપર આધારિત છે ? બાહ્ય વસ્તુ પર કે અંદરનાં તત્ત્વોનાં સંશોધન પર ? માણસમાં રહેલાં એનાં નિયામક તત્ત્વોને ત્રણ ભાગમાં વહેંચી શકાય અને તે પ્રમાણે માણસનો વિકાસક્રમ વિચારી શકાય. કેટલાક માણસો વૃત્તિપ્રધાન છે, કેટલાક માણસો વિચારપ્રધાન છે અને કેટલાક માણસો વિવેકપ્રધાન છે. જે વૃત્તિપ્રધાન માણસો છે, એ લોકો વૃત્તિની દોડમાં દોડી રહ્યા છે. વૃત્તિનો આવેગ આવ્યો અને આહાર, નિદ્રા, ભય, મૈથુન કરી લીધું. તેના માટે એને કોઈ જ વિચાર નથી. એ વૃત્તિના પ્રેરેલા નશામાં માણસ પોતે પોતાને જ ભૂલી જાય છે; એ વૃત્તિઓના પ્રવાહમાં તણાતો હોય છે. આ વિભાગમાં માત્ર વૃત્તિઓ ઉપર જ જીવનારો વર્ગ છે. આ વર્ગને બીજો કોઈ જ વિચાર નથી. વૃત્તિઓથી પ્રેરાઈને વૃત્તિઓને અધીન બનીને એ જ્યારે વૃત્તિઓની ઇચ્છાને પૂર્ણ કરે છે ત્યારે એ માને છે કે એણે ચક્રવર્તીનું સુખ ભોગવી લીધું. આ વૃત્તિપ્રધાન જીવન તે પશુતા છે. પશુઓની વૃત્તિ એવી હોય છે કે ભૂખ લાગી એટલે ખાઈ લે, તરસ લાગી તો પાણી પી લે, કામ જાગે એટલે પૂર્ણ કરી લે. ઊંઘ આવી તો ચાલતાં કે બેઠાં પણ ઊંધી લે. ટૂંકમાં આવેગ અગર વૃત્તિઓના એક જબરજસ્ત હુમલા સાથે ઇચ્છા પૂર્ણ કરી લે. આવા વર્ગને પશુતાપ્રધાન કહી શકાય. એના પછી બીજો વર્ગ આવે છે; વિચારપ્રધાન. વિચારપ્રધાનમાં વૃત્તિ તો છે જ, પણ નિર્ણય કરી શકતો નથી કે શું કરું. કદીક વૃત્તિ જાગે છે અને વિચાર આવે છે : “ના, મારે આ નથી કરવું.” કદીક વળી એમ થાય : “કરી લઉં.” એ વિચારોમાં છે; નિર્ણય કરી શકતો નથી. એનામાં માણસનું જરાક દર્શન થાય છે. એ ભૂલ કરે છે, પણ ભૂલ કરવા છતાં તેને લાગે છે કે આ ભૂલ કરવા જેવી નથી. તે જૂઠું બોલે છે, પણ જૂઠું બોલ્યા પછી વિચાર કરે છે કે જૂઠું બોલવું ખરાબ છે. પોતે એમ ઇચ્છે કે આ વારસો મારાં સંતાનોને ન મળે તો સારું. એ દારૂ પીતો હોવા છતાં એમ માને છે કે મારો દીકરો દારૂ ન પીએ. એટલે “નથી પીવો' એ “વિચાર” છે ને “પીધા વિના ચાલતું નથી” ૮૨ જ જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy