SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પરાધીન અને દુઃખી માણસ બીજો કોણ હોઈ શકે ? આજ સુધી સંસારમાં માનવીનાં મૂલ્યો માત્ર આર્થિક દૃષ્ટિએ જ કરાયાં છે, પણ હવે વિચારકો અને ચિંતકો તરફ માણસો વળવા લાગ્યા છે. માણસના જીવનમાં માણસને પોતાને જો શાંતિ ન મળે, માણસ ઓશીકા ઉપર માથું મૂકે અને જો ઊંઘ ન આવે, તો આ બધાનો અર્થ શો ? માણસ સમાધિમય શાંતિનો સ્પર્શ જો ન પામી શકતો હોય તો સમગ્ર જીવનનો પ્રયત્ન માત્ર પાણી વલોવવા જેવો નિષ્ફળ છે. ઘણી વાર એમ પણ દેખાય છે કે રેતીમાં ઘર બાંધીને બાળકો જ્યારે સાંજ થાય છે ત્યારે ‘આ મારું ઘર ને તે તારું ઘર' કહીને લડતાં હોય છે; મોટાઓ પણ આવું જ કરતા હોય છે. બાળકોના કજિયા રેતીના ઘર માટે છે; મોટાઓના ઝઘડા ઈંટોના મકાન માટે છે. બંને લડે છે નાશવંત વસ્તુઓ માટે. માણસો આમ લડ્યા જ કરે તો માણસે આ ભૂમિમાં થઈ ગયેલા આટઆટલા મહાપુરુષો પાસેથી મેળવ્યું શું ? આટલાં વર્ષોમાં કેળવ્યું શું ? બહા૨ના લોકો અધ્યાત્મની તૃષા છિપાવવા અહીં આવે છે. એ સમજે છે કે ભારતમાં આધ્યાત્મિક અમૃત છે; જેનો એક પ્યાલો પીવાથી આત્માને અમરત્વ પ્રાપ્ત થાય છે. આ એક અમેરિકન ભાઈ તો તમારી સાથે જ બેઠા છે. એ વનસ્પત્યાહારી છે એ જાણી તમને બહુ આનંદ થશે. અને વધુ આનંદિત થવા જેવી વાત તો એ છે કે એ વનસ્પત્યાહારી તો છે, પણ આગળ વધીને એ દૂધ અને માખણ પણ લેતા નથી. એમની જ્યારે મને ઓળખાણ આપી ત્યારે મેં કહ્યું કે, “one step ahead એક પગલું તમે આગળ વધેલા છો.'' એ કહે છે, “ગાયનું દૂધ લઈને એના વછેરાને મારે જુદું પાડી, એને ભૂખ્યું નથી રાખવું.” આવી સૂક્ષ્મ અહિંસાથી એને જીવન જીવવું છે. જે અમેરિકા તરફ આપણા હજારો જુવાનોની આંખ છે, જે અમેરિકા જવાના વીઝા મેળવવા માટે આડીઅવળી રીત અજમાવી, ભગવાનના સોગન ખાવા હોય તો તે ખાઈને પણ, વીઝા મેળવવા તૈયાર છે; જ્યારે અમેરિકાનો ત્યાગ કરીને આ માણસો અહીં આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે ? તેઓ માને છે કે ભારતભૂમિમાં કોઈ એવી મહાન વસ્તુ છે, એવી સંજીવની છે, કોઈક એવું અમૃત છે કે જેનો માત્ર એક પ્યાલો પીવામાં આવે તો માનવ અમર બની જાય ને જન્મ-મરણના ફેરા ટળી જાય. સંસ્કૃતિનું જે ઘર કહેવાય, સમર્પણની સંસ્કૃતિનું જે જન્મસ્થાન કહેવાય, એ જ ભગવંતોની જન્મભૂમિ પરથી આજે સંસ્કૃતિ કેટલી ઝડપથી ધોવાઈ રહી છે, ભૂંસાઈ રહી Jain Education International - પૂર્ણિમા પાછી ઊગી ! * ૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy