SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે નહિ, પણ પોતાના વિચારોને છુપાવવા માટે કરી રહ્યો છે. માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હોય તો એની બીજી સજા તો થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તો એ મળે કે -- એ સાચું બોલતો હોય ત્યારે પણ લોકો એને ખોટું માને છે ! એ સોગન ખાઈને કહેતો હોય તોય એના વચન પર લોકોને વિશ્વાસ ન બેસે ! માટે વાણી પવિત્ર હોવી જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તીવ્ર તપ જોઈએ. જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને સ્વસ્થ રાખવા માટે તપ, તેમ ઉચ્ચારને શુદ્ધ ને પવિત્ર રાખવા માટે પણ વાણીનું તપ કરવું જોઈએ. अनुढेगकरं वाक्यं सत्यं प्रियाहितं च यत् । स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते।। વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન થાય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિંતન અને અભ્યાસમાંથી પ્રગટેલી હોય -- આ છે વાણીનું તપ ! આવા તપથી માણસ સાચો માણસ બને છે. તપ વિનાની, ચિંતન વિનાની, અભ્યાસ વિનાની કર્કશ વાણી તો પશુઓ પણ બોલી શકે છે. એમાં માણસ બોલીને શું વધારે કરે છે ? આ હું એકલો જ નથી કહેતો હો ! ગીતા પણ કહે છે : માણસની વાણી પાછળ તપશ્ચર્યા હોય. તપશ્ચર્યાવિહોણી વાણી તો પશુની હોય ! એક જૂના વખતની વાત છે. ત્યારે માણસો આટલા ચાલાક ને જૂઠાબોલા નહોતા, પણ ભદ્ર ને સાચાબોલા હતા. તે વખતે એક ગૃહસ્થને ત્યાં સંત પધાર્યા. પણ આ ઘરનાં માલિક-સ્ત્રીપુરુષ-બહારથી ઘણાં સુંદર ને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ કદરૂપાં ને બેડોળ ! એક મહિનાના પરિચયથી સંત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિંતન, સ્વાધ્યાય, મધુરતા કંઈ જ ન મળે. એકલા બાહ્ય વૈભવના આડંબરનો કોલાહલ હતો. સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું : “માણસ બનજો !” પુરુષ ધમાલિયો હતો. એણે આ વાક્ય પર જરાય વિચાર ન કર્યો, પણ એની ચાલાક સ્ત્રી ભારે ચકોર હતી. ૭૪ : જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy