SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીમાં નિપુણતા હોય તે ખોટી ખુશામત કરે નહિ. કોઈની ખોટી શેમાં તણાય નહિ અને કોઈ બનાવવા આવે તો યોગ્ય અવસરે એને ચેતવ્યા વિના પણ રહે નહિ. એક ફૂલણજી પતિ વારંવાર પોતાની પત્ની આગળ પોતાના કુળ, જાતિ, ગૌરવ અને કુટુંબનાં વખાણ કરતો. આથી સ્ત્રી કંટાળી જતી. એક વાર પતિએ પૂછ્યું : “મારાં સગાંઓ પર તારો પ્રેમ કેવો છે ?' શબ્દોમાં નિપુણ પત્નીએ ઉત્તર વાળ્યો : “પ્રાણનાથ ! આપનાં સગાંઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તો મારી સાસ કરતાંય આપની સાસને વધારે ચાહું છું !' આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહીંથી ખોટી બડાઈ કે ખુશામત સાંભળવા નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું સંમિશ્રણ છે. - ત્રીજો ગુણ છે : સ્તોત્ સ્તોક એટલે થોડું. બોલવું ખરું, પણ થોડું બોલવું. જરૂર પૂરતું જ બોલવું. બહુ બોલ બોલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણો કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એ બોલે તો લોકો એને શાન્તિથી સાંભળે નહિ; અને સાંભળે તો એના પર શ્રદ્ધા બેસે નહિ, માટે થોડું બોલવું. જરૂર પડે ત્યારે જરૂર જેટલું જ બોલવું, અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શીખવું. એક પ્રસંગ મને યાદ આવે છે. મુંબઈમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય મહારાજ સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા હતા. બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનું શરીર જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કર્યા પછી સ્મિત કરી કહ્યું : “સાહેબ, આપ તો બહુ જ ઊંચે બિરાજો છો !” મહારાજશ્રીએ સ્મિત કરી માર્મિક ઉત્તર વાળ્યો : “હા ભાઈ ! અમે ઊંચે છીએ એટલે જ તો તમે વંદના કરવા આવો છો !” ૬૮ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org.
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy