SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાક્યમાં ષ હતો. અમે સદ્દગુણના સિંહાસન પર છીએ એટલે તમે વંદના કરો છો. સદ્દગુણો ન હોય તો અહીં કોણ આવે ? આ ટૂંકા ઉત્તરથી પણ આપણું મન આનંદ પામે છે; કારણ કે, આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અલ્પતાનું સપ્રમાણ સંમિશ્રણ છે ! પતિતમ્ - ચોથો ગુણ તે ખાસ કંઈ કાર્ય હોય તો જ બોલવું, નહિ તો મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મૌનથી વાણીમાં ચિંતન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે, અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કોઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણાં હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને કારણે આજે કેટલાક લોકો, કોઈ ઠેકાણે ખાણું લે તોય ભાષણ ઝીંકે. રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બોલે. એનું પરિણામ એ આવ્યું કે આપણા આગેવાનોને સાંભળવા કોઈ તૈયાર નહોતા થતા, ત્યારે સ્ટેલિન ક્યારે શું બોલશે એ માટે લોકો સાંભળવા તલસી નથી રહેતા ! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણા માણસો એવા જોવા મળે છે કે, જેમને બોલવાનું ન મળે તો આફરો છે ! બોલે ત્યારે જ જીવને જંપ વળે અને ચિત્તને ચેન પડે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડેધડે ફેંક્યે રાખે ! અંતે સાંભળનારના મનમાં થાય કે આ બલા અહીંથી ક્યારે વિદાય થાય ? માટે જરૂર પૂરતું બોલવું. ગર્વદિતમ – આપણી વાણી ગર્વવિહોણી હોવી જોઈએ. આ છે પાંચમો ગુણ. વાતવાતમાં આપબડાઈ કરવી, પોતાની જ વાત આગળ ધરવી, પોતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી વિવેચન કરવું -- આ બધું અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતો હોય છે ત્યારે વિવેકી સાંભળનાર એના પર મનમાં હસતો હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસને એ સામે ધ્યાન હોતું નથી. પોતાની પ્રશંસામાં પડેલો માણસ વિવેકશક્તિ ખોઈ બેઠો હોય છે, અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલો શક્તિશાળી ક્યાંથી થાય ? અભિમાની માણસ કેવો વિવેકશૂન્ય બને છે તેનો તમને એક દાખલો આપું. દાદાભાઈ નવરોજજી ઇંગ્લેન્ડમાં એક વાર ત્યાંના ઉમરાવો સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. વાત વાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. દાદાભાઈએ એમાં જીવન-માંગલ્ય : ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy