SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વાતાવરણમાં કાંઈક શોકની હવા લાગી. રોજ એ ઘેર આવતો ત્યારે એની પત્ની હસતા મુખે એનું સ્વાગત કરતી પણ આજ તો એ ઉદાસ હતી. આત્મારામે પૂછ્યું : “કેમ ? આમ ઉદાસ કેમ ? શું થયું છે ? તું તો જાણે ઘરમાં શોકનો સાગર લાવી છે !” કાંઈ નથી. એ તો પાડોશી સાથે જરા કલહ થયો છે.” શોકના ભારથી નમેલી પાંપણોને ઊંચી કરતાં સુમતિએ કહ્યું. આત્મારામને આશ્ચર્ય થયું. સુમતિનો સ્વભાવ એ જાણતો હતો. આખું ગામ ગરમ થાય તોયે એની આંખમાં શીતળતાનો સાગર લહેરાતો હોય એવી એ શાંત હતી, અને એવી જ એ શાણી પણ હતી. આત્મારામ ગભરાઈને પૂછ્યું : “એવું તે શું થયું કે તારે કજિયો કરવો પડ્યો ? કાંઈ નહિ. વિસ દિવસ પર આપણા દિનેશનાં લગ્ન હતાં, ત્યારે હું પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ પહેરવા લાવી હતી. આજે એ માગવા આવ્યા. મેં ન આપ્યાં, એટલે બોલવું થયું, અને કલહ વધ્યો.” સુમતિ આટલું ધૈર્યપૂર્વક બોલી ગઈ પણ એના અવાજમાં જરા વિષાદની છાયા હતી. તુંયે ખરી છે. પારકાં કંકણ ક્યાં સુધી રખાય ? એનો માલિક માગવા આવે ત્યારે આપી દેવાં જ જોઈએ ને તારા જેવી શાણી સ્ત્રી આવી વાત પર કલહ કરે તો થઈ રહ્યું ને ? કોઈ જાણે તોય હસે એવી આ વાત છે. જા, જા, જલદી આપી આવ.” એને ઊભી કરતાં આત્મારામે મીઠો ઠપકો આપ્યો. “જરા ઊભા તો રહો. તમે આપી આવવાનું તો કહો છો. પણ મને એ કેટલાં ગમે છે ! મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું જ મન નથી થતું. મનમાં થાય છે, રાખી લઉં. પછી જે થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો !” આટલું કહેતાં કહેતાં સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો ! પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે તે કેટલા દિવસ રખાય ? એના પર મમતા કરવી, એને પોતાની માનવી અને મારી” કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.” શિખામણ આપતાં આત્મારામે કહ્યું. સુમતિ ઊભી થઈ. એણે પતિનો હાથ ઝાલ્યો, એનો હાથ ધ્રૂજતો હતો. પ૬ જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy