SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ weeping for that which has been your delight." જ્યારે તમને શોક લાગે ત્યારે વળી તમારા હૃદયમાં જોજો. અને તમને જણાશે કે સાચે જ તમે જેને માટે રડી રહ્યા છો તે તમારા હર્ષનો વિષય હતો, એટલે જે હર્ષ આપે એ શોક આપે જ. એ શોકને ટાળવાનો માર્ગ એક જ છે, અને તે આત્માનું જ્ઞાન અને પ્રકૃતિનું ઊંડાણ ! આત્મજ્ઞાન થતાં શોક કેવો હળવો થાય છે એનું આ એક જ્વલંત દૃષ્ટાંત તમારી સામે મૂકું છું. શાણી સુમતિ ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી. એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું : “જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે. મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે, આત્માની એકલતાના જ્ઞાનમાંથી.” સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો. એનો વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી, ત્યાં એકાએક સમાચાર મળ્યા : એના નહાવા ગયેલા બંને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક નહાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને કાઢવા બીજો ગયો, પણ એ ખૂંચતો છોકરો બીજાને બાઝયો અને બંને ડ્રખ્યા.” જુવાનજોધ બે દીકરા જાય તો કઈ માતાનું હૈયું શોકમાં ન ડૂબે ? સુમતિના હૈયાના કટકેકટકા થવા લાગ્યા. એ શોકના ઝંઝાવાતમાં ઘેરાઈ ગઈ, એને મુર્છા આવી, અને એ ધરતી પર ઢળી પડી. થોડી વારે એ મૂચ્છ ઊતરતાં એના હૈયા પર જ્ઞાનવચનો આવવા લાગ્યાં. જ્યાંથી આનંદ આવે છે, ત્યાં જ શોક છે, અને એ શોકના તળિયામાં જ શાંતિ હોય છે. શોકને ઉલેચી નાખો, શાંતિ ત્યાં જ જડશે. સમતિનો શોક ધીમે ધીમે ઉલેચાતો ગયો અને એ ઊંડી ને ઊંડી ઊતરતી ગઈ, જ્યાં જીવનની પરમ શાંતિ હતી ! એણે પોતાના બંને પુત્રોના દેહને પથારીમાં પધરાવ્યા; એમના પર શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું, અને પતિની પ્રતીક્ષા કરતી એ વિચારમાં ડૂબી ગઈ. આત્મારામે ડેલીમાં પગ મૂક્યો અને એનો આનંદ ઊડી ગયો, એને જીવન-માંગલ્ય : પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy