SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ એને તમ્મર આવી રહ્યાં હતાં. એની છાતી પર ભાર હતો. પણ ‘શ્રમણ ભગવાન મહાવીર'ના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ. ફૂલ જેવાં પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું. અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું : “નાથ ! આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યાં; સાચવ્યાં, પણ આજે એમનો સમય પૂરો થયો. અને એમણે એમનો માર્ગ લીધો. આપણે એમનાં ન હતાં; એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યાં હતાં. હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવાં એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન કરવાં વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુથી પણ પાછી મળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.’’ આત્મારામ તો આ જોઈ ત્યાં ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભી૨ સ્તબ્ધતા છવાઈ ગઈ. ઘરમાં, હવામાં, વાતાવરણમાં, બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું. એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતાં; પણ એના ૫૨ જીવનની ઊંડી સમજણનાં ઉજ્જ્વળ કિરણો પ્રકાશી રહ્યાં હતાં. આ પ્રસંગ પરથી સમજી શકાય છે કે, આત્માની જાગૃતિ શું કામ કરે છે ! જેનો આત્મા જાગ્રત છે તે જ શોક ૫૨, મોહ ૫૨ વિજય મેળવે છે. પણ જે જીવનમાં હારે છે, મૂંઝાય છે, તેનું કારણ આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જ વિપત્તિ કે અંતરાય આવતાં એ થંભી જાય છે. ગભરાઈ જાય છે અને ધ્યેયમાંથી વિચલિત થઈ, બીજા માર્ગ ભણી વળે છે. પણ જે માણસ અંતરપ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે છે, એ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ જેના પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હોય એવો સાથી સાથ છોડીને ચાલ્યો જાય, એવા સંજોગોમાં પણ ધૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના, આગળ વધ્યે જ જાય છે. આત્મજ્ઞાની, લોકોના અભિપ્રાયના આધારે નહિ, પણ પોતાના આત્માના અભિપ્રાયના આધારે આગળ વધે છે. એ તો કહે છે : “લોકોને હસવું હોય તો હસવા દો, બકવું હોય તો બકવા દો; પણ મારો પંથ અફર છે.'' એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે. એને પોતાની પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે, અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એનામાં અદમ્ય ઉત્સાહ હોય છે. આવી વ્યક્તિ માટે કહી શકાય કે , Jain Education International જીવન-માંગલ્ય * ૫૭ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy