SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારીએ. રાવણને લોકો રાક્ષસ કહે છે. રાક્ષસ એટલે મોટા મોટા દાંતવાળો નહિ, પરંતુ અનિયંત્રિત વૃત્તિવાળો. જેની વૃત્તિઓ પોતાના કાબૂમાં નથી એ રાક્ષસ છે. અનિયંત્રિત વૃત્તિ એટલે રાક્ષસી વૃત્તિ અને નિયંત્રિત વૃત્તિ એટલે દૈવી વૃત્તિ. એટલું યાદ રાખજો, રાવણ મરી ગયો નથી; એ તો આપણા મનમાં બેઠો છે. પેલા કૌરવો પણ સમાપ્ત નથી થયા, હજી જીવંત છે. વિચારીશું તો સમજાશે કે નર્ક આ દેહમાં જ છે. મનમાં જ્યારે કોઈનું અશુભ કરવાની ઇચ્છા જાગે, કોઈનું અમંગળ કરવાની કામના જાગે, કોઈ ભયાનક તૃષ્ણા જાગે, અહિતકારી કલ્પનાઓ ચિત્તમાં જાગી પડે ત્યારે આ દેહ, જે સ્વર્ગમાં જવાનું વિમાન છે તે જ નર્ક બની જાય છે. પછી શિષ્ય ચોથો પ્રશ્ન કર્યો : “સ્વપમ વિમ્ ? – સ્વર્ગ ક્યાં છે ?” ત્યારે એને ગુરુદેવે ચોથી વાત કહી કે, “તૂT પર્વ વિમેરિત – તૃષ્ણાનો જો ક્ષય થઈ જાય તો સ્વર્ગ દૂર નથી.” તૃષ્ણાનો નાશ થઈ જાય તો અહીં બેઠાં જ સ્વર્ગ છે, ક્યાંય જવાની જરૂર નથી. અહીં જ આનંદ માણ્યા કરો. તમને કોઈનો ભય નથી, કોઈને માટે અફસોસ નથી, કોઈને માટે અશુભ અને અમંગળ વિચાર નથી. આટલું હોય તો તમે સ્વર્ગમાં જ બેઠા છો. તમને અહીં સુખ અને શાંતિ બેય મળશે. સ્વર્ગમાં તો દેવો લડી લડીને મરી જાય છે. કોઈ વધુ તપ કરે તો ઇન્દ્રને એકદમ દોડવું પડે છે અને ઉર્વશીમેનકા વગેરે અપ્સરાઓને મોકલીને તપસ્વીના તપભંગનો અને પતનનો પ્રયત્ન કરવો પડે છે ! એ સ્વર્ગ મારે મન ભોગની લાલસાભૂમિ છે. એટલે તો દેવો તો હેરાન હેરાન થઈ ગયેલા હોય છે; તેમની ઉપર તો દયા લાવવા જેવું છે. આપણે કાંઈ એવું સ્વર્ગ મેળવવાનું નથી. તમે આ ભવની અંદર જ સ્વર્ગનો અનુભવ કરી શકો, મસ્ત રહી શકો; પણ ક્યારે ? તૃષ્ણાનો વિનાશ થઈ જાય ત્યારે. ધીરે ધીરે તષ્ણાની દોરી જો તુટી જાય, તો મુક્ત બની જવાય. જેની તૃષ્ણાની દોરી તૂટી જાય, તે સદા પ્રસન્ન બની જાય. આંખ બંધ કરે અને સૂવાની ઇચ્છા થાય તો તરત ઊંઘ આવે. ઊઠવાની ઇચ્છા હોય તે સમયસર ઊઠી શકે. મનમાં વિચાર કરે કે મારે ભગવાનનું દર્શન કરવું છે, તો તે ભગવાન ત્યાં જ દેખાય. જેને તૃષ્ણા નથી એના ચિત્તમાં પ્રભુ સિવાય બીજું હોય પણ શું ? અને જેના હૃદયમાં તૃષ્ણા પડેલી હોય તેના હૃદયમાં પ્રભુ આવે પણ ક્યાંથી ? ૪૬ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy