SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં અંદર જ તો એ બેઠો છે. એ નજીક બેઠેલાને આપણે જો બહાર લાવવા માગતા હોઈએ તો તૃષ્ણાનો ક્ષય કરવો જોઈએ. વચમાં માત્ર એક પડદો. છે; – એ પડદાને હટાવો. પછી તમે જોશો કે પ્રભુ તમારી પાસે છે. આ ચાર વાતો, જીવનની મહત્ત્વની વાતો છે. આપણે એ સમજીએ. બીજી તો ઘણી વાતો આપણે સમજીએ છીએ, પરંતુ આ વસ્તુ જો આપણે નહિ સમજીએ, નહિ જાણીએ તો દુનિયાની બીજી બધી સમજણ, બીજું બધું જ્ઞાન છેવટે નકામું છે. મહાપુરુષો આપણને વિનવે છે અને કહે છે કે બીજી બધી બાબતમાં, ઘણા લાભ પડેલા હશે; પણ મનની બાબતમાં જે લાભ થવાનો છે, તે તો પોતાને થવાનો છે. તમારી પાસે જો મનની પ્રસન્નતા નહિ હોય તો ભર્યું ભર્યું ઘર હશે, હરીભરી જુવાની હશે, સુંદર વસ્તુઓ હશે, ઢગલાબંધ ભોજનસામગ્રી હશે, ભર્યો ભર્યો પલંગ અને ગાદીઓ હશે, તોપણ તમને શાંતિ નહિ હોય, તમે શાંત ચિત્તે ઊંધી નહિ શકો, ત્યાં પણ તમે બેચેન રહ્યા કરશો, તન ને મન અસ્વસ્થ રહેશે. માટે કેળવણી તો મનની હોવી જોઈએ. મન જો કેળવાયેલું ને મસ્ત હશે. તો તમે પાટ કે લાદી પર સૂઈ જશો તોય ઘસઘસાટ ઊંઘી જશો. આ મનને તૈયાર કરવાનું છે. એટલે આપણે જે આ ચાર વાતનો સ્વાધ્યાય કર્યો તેને જીતીને જીવનને જીતી જઈએ. જીવન-માંગલ્ય - ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy