SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પેલો કહેશે, “કેમ ? એમાં શો વાંધો ?” તો સાચા સાધુ કહેશે, “અમે એવું બધું જો લઈશું તો અમે મરી જવાના છીએ. તમે હટાવો અહીંથી આ વસ્તુ ને ! એટલે મુક્ત બનવા માટેનો માર્ગ “વિષયે વિરક્ત' થવાનો છે, વિષય પરત્વેની વિરક્તિ જ જીવને બંધનમાંથી છોડાવનારી છે. હવે ત્રીજો પ્રશ્ન પુછાય છે : શો વસ્તિ ધોર: ન. ? – ઘોર નર્ક કયું? જવાબ મળે છે : સ્વ: | – પોતાનો દેહ જ ઘોર નર્ક છે. આ દેહમાં જ્યારે રાગદ્વેષ વગેરે કીડાઓ ખદબદતા હોય ત્યારે દેહ નર્ક છે. બધાય સમયમાં દેહ એ નર્ક નથી. ખરી રીતે તો દેહ સ્વર્ગનું વિમાન છે. To the ignorant alone this body is a source of endless pain. To the wise, it is a means of enjoying endless happiness, an instrument for attaining infinite Freedom and Bliss. જ્યારે આપણા ચિત્તમાં રાગદ્વેષની ભઠ્ઠી સળગતી હોય, ક્રોધના અંગારા ધગધગતા હોય, માનના પર્વતો ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધારાની અટવામણ વધી હોય અને લોભની ખીણમાં જેટલું આવે એટલું બધું સમાઈ જતું હોય ત્યારે દેહ જ નર્ક બની જાય છે. માણસના લોભનો ખાડો પૂરો થાય એમ લાગે છે ? ક્યારે પૂરો થશે આ લોભનો ખાડો ? ક્યારે ઓછા થશે માનના પર્વતો ? ક્યારે કપાઈ જશે આ માયાની ઝાડીઓ ? અને ક્યારે બુઝાઈ જશે આ ક્રોધના અંગારા ? આપણો આ લોભનો ખાડો એટલો બધો તો મોટો છે કે સમગ્ર વિશ્વનું ધન એમાં જો ઠલવાઈ જાય તોપણ એ સંતોષ પામે એમ નથી. એટલા માટે જ આપણે વિચારવાનું છે કે જ્યારે આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જ આપણા શત્રુ છે. તે જ્યારે અંતરમાં ખદબદતા હોય, એ જ્યારે દેહમાં રમતા હોય અને એમાં રંગાઈને કોઈને ભૂંડો ચીતરીએ, કો'કને મારવાનો વિચાર કરીએ, કોકની સામે હરીફાઈઓ કરીએ અને કો'કનું કાટલું કાઢવું એવા વિચાર કરીએ ત્યારે આપણું મગજ કેવું હોય છે ?.આબેહૂબ નર્ક જેવું. ઘણા લોકો ફોટો લેવડાવે છે. ખાસ્સી રીતે બેસે છે. પેલો કહે એમ હસતું મોટું રાખે છે, પણ કોઈ મગજના વિચારના ફોટા લેવડાવે તો ? ખરો ફોટો તો એ વખતનો લેવા જેવો છે કે જ્યારે તમારી આંખ લાલ હોય, હોઠ પૂજતા હોય, વિવેક વગરના શબ્દો ફૂટતા હોય. અંદરનો પેલો શત્રુ બહાર આવેલો હોય, એ વખતનો વિકરાળ રાક્ષસ જેવા દેખાવને ફોટો લેવડાવી લટકાવવો જોઈએ, જેથી ફરીથી આપણે એ દિશામાં જતાં પહેલાં જીવન-માંગલ્ય કે ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy