SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છે, આવડતથી જ મળતું હોય તો આવડત પણ ઘણી હોય છે, પણ એવું કંઈ નથી હોતું, ઘણી વાર ભાગ્યને લીધે પણ હોય છે. આ ભાગ્ય ક્યાં દોરી જાય છે એની કંઈ ખબર છે તમને ? એક જ દિવસે, એક જ મુહૂર્તે, એક જ ક્ષણે એક છોકરો, લાખો રૂપિયાની મિલકતવાળાને ત્યાં જન્મે છે. તે જ દિવસે તે જ મુહૂર્તે અને તે જ ક્ષણે બીજો છોકરો લાખ રૂપિયાના દેવવાળા કંગાળને ત્યાં જન્મે છે. મોટા થયા પછી લાખ રૂપિયાના દેવાવાળાનો છોકરો આખી જિંદગી વૈતરું કરીને લાખ રૂપિયાનું દેવું પતાવે છે અને ઉપરથી વધારે દ્રવ્ય મેળવી સમાજમાં સ્થાન અને માન મેળવે છે, જ્યારે બીજી બાજુ જન્મતાવેંત જ સોનાના ચમચા સાથે મજા કરનારો છોકરો મોટો થયા પછી લાખોની મિલકત વેડફી દઈને દેવાદાર થાય છે અને સમાજમાં હડધૂત થાય છે. એક જ મુહૂર્ત, એક જ ક્ષણ હોવા છતાં પેલો જન્મોત્રી જોવાવાળો શું જોશે ? એક જ સેકન્ડમાં કેટકેટલા જન્મ થાય છે ? પણ ક્ષણ સમાન હોવા છતાં માર્ગ જુદા સર્જાય છે, એનું કારણ શું ? એક જ ક્ષણે જન્મેલાઓમાંથી એ દિવસે દિવસે સંપત્તિમાં સાધન માં તેજસ્વી બનતો જાય અને બીજો દિવસે દિવસે બધી રીતે ક્ષીણ બનતો જાય, એનું કારણ શું ? આનું કારણ પુણ્ય છે. પુણ્યનો ઉપયોગ કરીને કર્મનો ક્ષય કરવાનો છે અને એ યાદ રાખવાનું છે કે જે ભાગ્ય મળેલું હોય તેને ભૂંસી નાખવું એ સહેલી વાત છે; પણ ભાગ્યનું નિર્માણ કરવું એ મુશ્કેલ વાત છે. જયપુરના એક શેઠ મુંબઈની ઑફિસે કાગળ એવા અક્ષરે લખે કે વાંચી શકાય નહિ. એ શેઠ જ્યારે જાતે એક વાર આવ્યા ત્યારે જેમને કાગળો મળેલા તે મુનીમ કાગળ કાઢીને ઘડીકમાં કાગળના અક્ષરો સામે જુએ અને વિચારે કે આ ધનપતિના આવા અક્ષર ? એટલે શેઠ કપાળ પર હાથ મૂકી કહે, “મારા અક્ષરો સામે શું જુઓ છો, અમારા ભાગ્ય સામે જુઓ.' મને એ શેઠની વાત એટલા માટે યાદ આવી, કે વાત એમ કહી શકાય છે કે, માણસ ભાગ્ય લઈને આવેલો છે. - — ભાગ્યનિર્માણ વડે માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ, મહાન બને, જીવનની દૃષ્ટિ બદલાય, આત્માની દૃષ્ટિએ વ્યવહારને જુએ. મનને જો કેળવી લેવાય, મનની જો ખિલવણી થાય તો જ જીવન સાચી દિશામાં જીવી શકાય. Jain Education International આ મનની કેળવણી આજે તો અનિવાર્ય છે. તમારું મન જેટલું કેળવાયેલું હશે તેટલા પ્રમાણમાં તમે તમારા ભાગ્યનું નિર્માણ કરી શકશો. મન જીવન-માંગલ્ય * ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy