SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે એના માટે પાલખી આવી. રાજા પાલખીમાં બેઠો અને આગળ ગયો. આગળ ચાલતાં પડાવ આવ્યો. તંબુ બાંધેલા હતા, ગાલીચા બિછાવેલા હતા. રાજાસાહેબ પાલખીમાંથી ઊતર્યા અને સીધા ગાલીચામાં જઈને લાંબા થઈ ગયા. પગચંપી કરનારા આવ્યા અને પગ દબાવવા લાગ્યા. માલિશ કરનારા માલિશ કરવા લાગ્યા. લાકડાં અને છાણાં વીણનારી પેલી છોકરીઓ આ જોતી જોતી ચાલી જાય છે. એમને વિચાર આવ્યો : આ બધું શું ? પહેલાં ઘોડા ઉપર બેઠા, પછી હાથી ઉપર બેઠા, વળી પાછા પાલખીમાં બેઠા, પછી અહીં આવીને સૂઈ ગયા. એને વળી થાક ક્યાંથી લાગ્યો કે આ પગચંપી ચાલે છે ? એટલે એકે પ્રશ્ન ઉઠાવ્યો : ઘોડે સે હાથી ચઢે, હાથી સે સુખપાલ; કબકા થાકા હૈ સખી, પડા દબાવે પાંવ ? “એને શાથી થાક લાગ્યો કે આ સૂતાં સૂતાં પગ દબાવરાવી રહ્યો છે ? એને બેસવાનો થાક તો નથી લાગ્યો ને ? શ્રમનો અભાવ પણ ઘણી વાર શ્રમ ઉત્પન્ન કરે છે.’’ પેલી છોકરીએ ઉત્તર આપ્યો : ભૂ હુઆ, ભૂખા રહા, ઉગ્ર ક્રિયા પ્રવાસ તબકા શાકા હે સખી, પડા દબાવે પાંવ. “ગયા જન્મમાં આ માણસ જમીન ૫૨ સૂઈ રહ્યો હશે; તપ કર્યું હશે; પગપાળો પ્રવાસ પણ કર્યો હશે. એ વખતનો જે થાક લાગ્યો હશે તે આજે પગ દબાવરાવીને ઉતારી રહ્યો છે. Jain Education International આમ, આજે આપણને જે મળ્યું છે તે આપણી બુદ્ધિને લીધે નહિ, આપણી આવડતને લીધે નહિ, આપણી હોશિયારીને લીધે નહિ; પણ આપણા પુણ્યને લીધે મળ્યું છે. આપણા કરતાં ડિગ્રીઓવાળા ઘણા હોશિયાર હોય છે. ડબલ ગ્રેજ્યુએટ ઘણા બુદ્ધિવાળા હોય છે. એ તમારી પાસે સ્કૉલરશિપ માટે આવે છે અને કહે છે, “હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છું અને મારે ઇંગ્લૅન્ડ જવું છે, તો સ્કૉલરશિપ માટે કંઈક ગોઠવણ કરી આપો.'' બુદ્ધિથી જ જો મળી શકતું હોય તો એ લોકો વધારે બુદ્ધિવાળા હોય ૪૨ : જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy