SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના આનંદભંડારની ચાવી એ મન અને બુદ્ધિને આપી બેઠો છે તેથી જ, આનંદ મેળવવા માટે એને મન અને બુદ્ધિની પાછળ ભટકવું પડે છે. આત્મા અજ્ઞાની નથી, સ્વયં જ્ઞાનમય છે, ચિન્મય છે. અજ્ઞાની તો બુદ્ધિ છે. જ્ઞાન મેળવવા માટે, પુસ્તકો ફેંદવા જવાની પણ જરૂ૨ નથી. આત્માનું જ્ઞાન તો આત્માની અંદર જ પડેલું છે. ભીતરમાં ડોકિયું કરવાની જ જરૂર છે. હીરાની ઉ૫૨નું આવરણ ખસી જાય એટલે કિરણો પ્રસરે, તે આત્મા પરનું બુદ્ધિના વિકલ્પનું આવરણ હટી જાય, તો તરત જ પ્રકાશ વ્યાપે. કેવળ પુસ્તકો વાંચવાથી નહિ, કેવળ શાસ્ત્રો સાંભળવાથી નહિ, પણ એનો જીવનમાં અનુભવ ક૨વાથી જ આનંદ સાંપડશે. યુરોપના લોકો ફોટાઓમાં કેરી જુએ તેથી આનંદ નહિ મળે, અહીં આવીને કેરીનો રસનો અનુભવ કરશે ત્યારે જ આનંદ સાંપડશે આનંદના અનુભવની તુલના કરી શકાય જ નહિ. એને તો અંદર ને અંદર પચાવવાની શક્તિ હોવી જોઈએ. સજ્જન બાતાં પ્રેમકી, પરમુખ કહી ન જાય; મૂગા કો સપનો ભયો, સમજ સમજ મલકાય. આત્માનો અનુભવ કોઈને કહી શકાતો જ નથી; એ તો ભીતરમાં જ સમજવાની અને ભીતરમાં જ આનંદવાની બાબત છે. આત્માનો આનંદ-અનુભવ કરનારો સતત ખુશ જ રહેશે, એ દુ:ખમાં પણ સુખનો અનુભવ કરશે; ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્નતા સેવશે. પ્રત્યેક પરિસ્થિતિમાંથી ચિંતન દ્વારા મનનું સમાધાન મેળવી સરખો સુખાનુભવ કરે એનું નામ ફિલસૂફ-તત્ત્વજ્ઞાની. આત્માનું સ્વરૂપ સત્યમય, જ્ઞાનમય, આનંદમય છે. એ સ્વરૂપનો આપણે આત્માનુભવ કરવો છે. એ માટે આપણે હીનાની જેમ જ ચિંતન ઘૂંટવું જોઈશે. જેમ ઘૂટતાં જઈશું તેમ ફોરમ ફેલાતી જશે ને આપણા અસ્તિત્વને આવરી લેશે. સમય ખૂબ ઓછો છે. આત્માનુભવ ક૨વામાં હજી આપણે ખૂબ કરવાનું બાકી છે. માટે અન્ય પ્રવૃત્તિઓ ઓછી કરી, ઇન્દ્રિયવૃત્તિઓને વાળી લઈ, સ્વમાં સ્થિર થઈ સત્-ચિત્-આનંદનો અનુભવ કરીએ. Jain Education International જીવન-માંગલ્ય * ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy